બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Let's understand the caste based math of Gujarat voters
Dinesh
Last Updated: 10:36 PM, 15 November 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બરાબરનો રાજકીય રંગ લાગ્યો છે. એવામાં તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિ આધારે વોટબેંક નક્કી થાય છે અહી જાતિ આધારીત ગણિતના આંકડાના આધારે કોને કેટલી સીટો મળે છે કોણ પક્ષમાં કોણ વિપક્ષમાં રહેશે તે નક્કી થતું હોય છે. રાજકીય પક્ષોએ ટિકિટ વિતરણમાં પણ જ્ઞાતિના ગણિતનો ઉપયોગ કરતા હોય છે. મતદારોને ક્યો પક્ષ વધારે આકર્ષે છે. ચાલો આંકડાઓના આધારે સમજીએ કે અહીં રાજકીય ગણિત શું છે.
6 કરોડથી વધુ ગુજરાતની વસતી | 146 જાતિ-જ્ઞાતિઓ નક્કી કરે છે સત્તાનું ગણિત |
ગુજરાતની વસતી 6 કરોડથી વધુ છે, જેમાંથી 4.91 લાખ મતદારો છે જેઓ મતદાન કરે છે. જાતિની ગણિત તપાસીઓ તો અહી 146 જેટલી જાતિઓ, પેટાજાતિ સરકારને ચૂંટે છે
ગુજરાતમાં હિન્દુઓની વસતી 88% છે |
મુસ્લિમ વસતી 9.57% છે |
જૈન ધર્મના લોકો 01% છે |
0.52% ખ્રિસ્તી સમુદાયના લોકો |
ગુજરાતમાં સૌથી વધુ વસતી હિંદુઓની છે જેમનો આંકડો 88% છે, તો અહીં બીજા નંબરે મુસ્લિમ સમુદાય 9.57 ટકા છે. જૈન 1% અને 0.52% ખ્રિસ્તી સમુદાયના લોકો છે.
52% મતદારો પછાતવર્ગના છે |
16% પાટીદાર સમુદાય છે |
ગુજરાતની કુલ વસતી મુજબ 52% મતદારોની એવા છે જેનો સમાવેશ પછાત વર્ગમાં થાય છે. 16% પાટીદાર સમુદાય છે જે ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
7% મતદારો દલિત સમાજના |
11% આદિવાસી મતદારો છે |
ગુજરાતમાં દલિત સમાજના મતદારો 7% છે, જ્યારે 11 ટકા મતદારો SCST સમુદાયના છે. ગુજરાતમાં રાજકીય પક્ષો આદિવાસી મત પર વધુ ભાર આપી રહ્યા છે.
મુસ્લિમ ધર્મની વસતિ 9% છે |
5% મતદારો બ્રાહ્મણ અને અન્ય સામાન્ય વર્ગના |
ગુજરાતમાં મુસ્લિમ ધર્મની વસતી 9% છે તેમજ 5% મતદારો બ્રાહ્મણ અને અન્ય સામાન્ય વર્ગ સાથે જોડાયેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો