બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
VTV / ગુજરાત / Krishna Nagari Dwarka can be seen from under the sea, and that too by sitting in a submarine, know the whole plan
Vishal Khamar
Last Updated: 11:03 PM, 25 December 2023
ભગાવન શ્રીકૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગઈ.. અને આ સોનાની નગરીના દર્શન કરવા ભક્તો માટે એક સપનું જ ગયું હતું. પરંતુ હવે ભક્તોનું તે સપનું પુરું થઈ શકશે. સમુદ્રમાં ડુબી ગયેલી દ્વારકાનગરીના દર્શન થઈ શકશે. કારણ કે, ગુજરાત સરકાર મૂળ દ્વારકાનાં દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે. ગુજરાત સરકારે આ માટે ભારત સરકારની કંપની મઝગાંવ ડોક શિપયાર્ડ સાથે એમઓયુ પણ કરી લીધા છે. અને આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકાનાં દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો
કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જેમાં દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકાનાં દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. આ તેવી ડિઝાઈન તૈયાર કરાઈ છે.. આ ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ-મેમ્બરો રહેશે, જેમાં જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે. આ સિવાય જો સુવિધાની વાત કરીએ તો, સબમરીનમાં ઍર કન્ડિશનિંગ, મેડિકલ કિટ જેવી સુવિધાઓ પણ હશે. કુદરતી રોશનીની સુવિધા હશે. આ કારણે યાત્રીઓને પાણીની નીચેના વાતાવરણને પૂર્ણ સ્વરૂપ સાથે જોવાની તક મળશે.
બંને પ્રોજેક્ટનું ઉદ્ધાટન આવનાર જન્માષ્ટમીની આસપાસ કરવામાં આવશે
મહત્વનું છે કે, બેટ દ્વારકામાં જ અરબી સમુદ્રમાં દેશના પ્રથમ મોટા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અને હાલ એવી સંભાવના પણ છે કે, આ બંને પ્રોજેક્ટનું ઉદ્ધાટન આવનાર જન્માષ્ટમીની આસપાસ કરવામાં આવશે. એટલે કે, હવે કૃષ્ણીની સોનાની દ્વારકાના દર્શન કરવાનું સપનું વહેલી તકે પૂર્ણ થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ