બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / konark temple replica g 20 summit pm modi joe biden
Hiralal
Last Updated: 09:31 PM, 9 September 2023
જી-20 સમિટમાં પીએમ મોદી જ્યારે દુનિયાભરના નેતાઓનું સ્વાગત કરી રહ્યા હતા, ત્યારે તેની પૃષ્ઠભૂમિમાં ઓડિશાના પુરીમાં સૂર્ય મંદિરના કોણાર્ક ચક્રની પ્રતિકૃતિ પણ હતી. વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડન અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનું સ્વાગત કર્યા બાદ કોણાર્ક ચક્ર વિશે માહિતી આપતા જોવા મળ્યા હતા.
કોણે બનાવ્યું કોણાર્ક ચક્ર
કોણાર્ક ચક્રનું નિર્માણ 13મી સદીમાં રાજા નરસિંહદેવ-24ના શાસનકાળમાં થયું હતું. આ ચક્ર ભારતના પ્રાચીન જ્ઞાન, અદ્યતન સભ્યતા અને વાસ્તુશિલ્પની ઉત્કૃષ્ટતાનું પ્રતિક છે. આ ચક્રનું પરિભ્રમણ 'કાલચક્ર' સાથે પ્રગતિ અને સતત પરિવર્તનનું પ્રતીક છે. તે લોકશાહીના ચક્રનું એક શક્તિશાળી પ્રતીક છે કોણાર્ક ચક્રના 24 આરાઓ ભગવાન વિષ્ણુના 24 અવતાર બતાવવામાં આવ્યા છે.
પૈડાની ધરીમાં આંગળી મૂકવાથી ચોક્કસ ટાઈમ જાણવા મળે છે
ધાર્મિક માન્યતાઓ ઉપરાંત કોણાર્કનું સૂર્ય મંદિર પણ વિજ્ઞાન સાથે સંબંધિત છે. એવું કહેવામાં આવે છે કે સૂર્ય મંદિરના આર્કિટેક્ટ્સે સૂર્ય ઘડિયાળ બનાવવા માટે ખગોળશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, તેની ડિઝાઇન અત્યંત જટિલ ગણતરીઓ પર આધારિત છે જે પૃથ્વીના પરિભ્રમણ, સૂર્ય, ચંદ્ર અને તારાઓને ધ્યાનમાં લે છે. એટલું જ નહીં, આ મંદિર આખો દિવસ અને આખા વર્ષ દરમિયાન સૂર્યની ગતિને ટ્રેક કરી શકે છે. એવું કહેવામાં આવે છે કે સૂર્ય મંદિરમાં સ્થાપિત પૈડાં સન ડાયલ છે. જો આંગળીને પૈડાંની ધરીમાં મૂકવામાં આવે તો તેનો પડછાયો ચોક્કસ સમય બતાવશે.
કોણાર્ક ચક્રનો મહિમા સાંભળીને ગદગદિત થયા બાયડન
પીએમ મોદીનો મોંથી કોર્ણાકનો મહિમા જાણીને પ્રેસિડન્ટ બાયડન ગદગદિત થયેલા જોવા મળ્યાં હતા. તેમને પણ આશા નહીં હોય કે ભારતમાં આવું પણ એક સુંદર અને ભવ્ય મંદિર હશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ