બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / know what to do on chaitra navratri

ચૈત્ર નવરાત્રી / ચૈત્રી નવરાત્રી પર ઘરમાં કરો આ સરળ ઉપાય, માતાજીની પ્રસન્નતાથી થઈ જશો માલામાલ

Jaydeep Shah

Last Updated: 09:34 AM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 એપ્રિલ 2022થી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જાણો આ દરમિયાન ક્યા ક્યા કાર્યો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

  • 2 એપ્રિલથી શરુ થશે ચૈત્ર નવરાત્રી 
  • 9 દિવસ સુધી થશે મા દુર્ગાની પૂજા ઉપાસના 
  • આ દરમિયાન કરો સુખ-સમૃદ્ધિ વધારવા માટે વાસ્તુ ઉપાય 

​​​​​​​2 એપ્રિલથી શરુ થશે ચૈત્ર નવરાત્રી 

ચૈત્ર નવરાત્રી શરુ થવામાં બસ થોડા જ દિવસો છે.જે ઘરોમાં ઘટસ્થાપના કરવામાં આવે છે, ત્યાં આ માટેની તીયારીઓ શરુ થઇ ચુકી છે. નવરાત્રીનાં 9 દિવસે મા દુર્ગાની પૂજા - ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન જો આ ઉપાયો કરવામાં આવે, તો પરિવારમાં ધન, સુખ અને સમૃદ્ધિ વધે છે. આ વર્ષે 2 એપ્રિલ 2022થી ચૈત્ર નવરાત્રી શરુ થવા જઈ રહી છે, જે 11 એપ્રિલ 2022 સુધી ચાલશે. 2 એપ્રિલથી શરુ થશે નવરાત્રી 

9 દિવસ સુધી થશે મા દુર્ગાની પૂજા ઉપાસના 

શક્તિ ઉપાસનાનાં પર્વ નવરાત્રીને દેશમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસોમાં માતા દુર્ગાનાં 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આખા વર્ષમાં 4 નવરાત્રી આવે છે. જેમાંથી ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર નવરાત્રી આ વર્ષે 2 એપ્રિલ 2022થી શરુ થઈને 11 એપ્રિલ 2022 સુધી છે. ધાર્મિક માન્યતા છે કે નવરાત્રીમાં માતાની પૂજાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

ચૈત્ર નવરાત્રીનાં વાસ્તુ ઉપાય 

  • ચૈત્ર નવરાત્રીનાં પહેલા દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે. યાદ રાખો કે આ કળશ સ્થાપના ઇશાન કોણ કે ઉત્તર-પૂર્વ કોણમાં કરવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન કોણને પૂજા-પાઠ માટે સૌથી શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. આથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. 
  • નવરાત્રીમાં દુર્ગાની અખંડ જ્યોતને અગ્નેય દિશા એટલે કે દક્ષિણ-પૂર્વ કોણમાં રાખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આવું કરવાથી ઘરનાં દોષો દૂર થાય છે. સદસ્યોની બીમારીઓ દૂર થાય છે અને શત્રુઓ પર વિજય મળે છે. 
  • ચૈત્ર નવરાત્રીનાં 9 દિવસ દરમિયાન રોજ ઘરના મેન ગેટ પર માતા લક્ષ્મીનાં ચરણ અંદરની તરફ આવતા બનાવો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા ધન-વૈભવ વધારે છે. 
  • નવરાત્રી દરમિયાન વ્યાપારીઓ પોતાના ઓફિસ - દુકાનનાં મેં ગેટ પર એક વાસણમાં પાણી ભરીને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખી દો. સાથે જ આ પાણીમાં લાલ અને પીળા રંગના ફૂલ રાખી દો. આમ કર્વાતાહી બીઝનેસમાં સફળતા મળે છે. 
  • ચૈત્ર નવરાત્રીનાં 9 દિવસ પૂરા થયા બાદ ઘરમાં કન્યા પૂજન જરૂર કરો. કન્યાઓને સમ્માનપૂર્વક ભોજન કરાવો અને સામર્થ્યઅનુસાર દક્ષિણા આપો. આમ કરવાથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Chaitra Navratri Dharma Gujarati News ચૈત્ર નવરાત્રી ધર્મ Dharma
Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ