બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Noor
Last Updated: 09:28 AM, 31 December 2019
કાદર ખાને ફિલ્મોમાં સીરિયસ એક્ટિંગ અને કોમેડી પણ કરી હતી અને તેમને હંમેશા દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. 81 વર્ષની ઉંમરે જ્યારે કાદરખાને આ દુનિયાને અલવિદા કહી દીધું ત્યારે બોલિવૂડ સહિત દેશભરમાં તેમના લાખો ચાહકોને આઘાત લાગ્યો હતો. કાદર ખાનની મૃત્યુ સાથે તેમનો એક ઇન્ટરવ્યૂ પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો, જેમાં તે સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથેના તેના સંબંધો વિશે જણાવી રહ્યા હતા.
અમિતાભ બચ્ચન સાથે કેવા હતા કાદર ખાનના સંબંધો?
એક વીડિયોમાં કાદર ખાને બિગ બી સાથે જોડાયેલો એક કિસ્સો જણાવ્યો અને કહ્યું, 'આ ઘટના ત્યારની છે જ્યારે અમિતાભ બચ્ચન સાંસદ તરીકે દિલ્હી ગયા હતા અને હું ખુશ નહોતો, કારણ કે રાજકારણની દુનિયા એવી છે વ્યક્તિને બદલીને પાછો મોકલે છે. તેથી જ્યારે તે પાછો આવ્યો ત્યારે તે મારા અમિતાભ બચ્ચન નહોતા. તેના કારણે મને ઘણું જ દુઃખ થયું હતું. આ અંગે અમારા બંને વચ્ચે મતભેદ અને બોલાચાલી પણ થઈ હતી.
આ કારણથી અમિતાભને સર જી કહેવાની ના પાડી
એક ઈન્ટરવ્યૂમાં કદર ખાને એક ઘટનાનો હવાલો આપતા કહ્યું હતું કે, જ્યારે અમિતાભ ખૂબ જ સફળ થયા અને સુપરસ્ટાર બન્યા, ત્યારે લોકોએ તેમને 'સર જી' કહેવાનું શરૂ કર્યું. પરંતુ મારા માટે તે અમિત અથવા અમિતાભ હતા. કાદર ખાને કહ્યું હતું કે, 'એકવાર બિગ બીના મિત્રોના ગ્રુપમાં પાર્ટી ચાલી રહી હતી, જેમાં હું પણ સામેલ થયો હતો. ત્યારે અમિતાભ ત્યાં આવ્યા અને લોકોએ કહ્યું કે જુઓ, 'સર જી' આવી ગયા...', ત્યારે મેં કહ્યું કે તે મારા માટે તે ફક્ત અમિતાભ છે.
કાદરખાનનું કેનેડામાં અવસાન થયું હતું
તમને જણાવી દઈએ કે કાદરખાને અમિતાભ માટે 'મુકદ્દર કા સિકંદર', 'નસીબ' અને 'અગ્નિપથ' જેવી ફિલ્મો માટે ડાયલોગ્સ લખ્યા હતા અને આ ડાયલોગ્સ ખૂબ જ હિટ રહ્યા હતા. કાદર ખાનનો જન્મ 22 ઓક્ટોબર 1937માં અફગાનિસ્તાનના કાબુલમાં થયો હતો અને 31 ડિસેમ્બર 2018ના રોજ કેનેડામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT