બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અડધી રાતે ભગવાન વિષ્ણુ કૃષ્ણ બનીને અવતર્યાં, નંદલાલની કથાથી ભાવવિભોર બનશો

ધર્મ / અડધી રાતે ભગવાન વિષ્ણુ કૃષ્ણ બનીને અવતર્યાં, નંદલાલની કથાથી ભાવવિભોર બનશો

Last Updated: 10:08 PM, 25 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન વિષ્ણુનું આઠમું અવતાર શ્રી કૃષ્ણ છે, જેમને અડધી રાત્રે જેલમાં અવતાર લીધો હતો, તો અડધી રાત્રે જેલમાં જન્મ લેવા પાછળ શું કારણ છે તે વિષે વિગતે માહિતી મેળવીશું.

હિન્દુ ધર્મમાં જન્માષ્ટમી એક લોકપ્રિય તહેવાર છે. જન્માષ્ટમી ભાદ્રપદ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ તિથિએ અડધી રાત્રે રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રી કૃષ્ણે જન્મ લીધો હતો. તો ચાલો જન્માષ્ટમીની કથાઓમાંથી જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કેવી રીતે થયો અને ભગવાન વિષ્ણુએ અડધી રાત્રે જ કેમ કૃષ્ણાવતાર લીધો?

krushn_1_0

દ્વાપર યુગની કથા

દ્વાપર યુગમાં મથુરાનો રાજા કંસ હતો જે ખૂબ જ અત્યાચારી હતો. તે તેના પિતા ઉગ્રસેનને ગાદી પરથી હટાવીને રાજા બન્યો હતો. તેની બહેન દેવકી, જેના લગ્ન યદુવંશના વાસુદેવ સાથે થયા હતા. અને તેની બહેનને તેની સાસરીમાં મુકવા જઈ રહ્યો હતો.

રસ્તામાં આકાશવાણી થઈ

યાત્રાના સમયે આકાશવાણી થઈ કે, 'હે કંસ, તારી બહેનનો આઠમો પુત્ર જ તારા સર્વનાશનું કારણ બનશે' આ સાંભળીને કંસ વિચારમાં પડી ગયો અને વાસુદેવજીને મારવા તૈયાર થયો.  

lord krishna

દેવકીએ આપ્યું વચન

ત્યારે દેવકી તેને પ્રાર્થના કરે છે કે, 'હે ભાઈ, તારી મૃત્યુનો માટે મારા પતિનો શો દોષ? હું તને વચન આપું છું કે મારા ગર્ભથી જે સંતાન થશે, તેને હું તને આપી દઇશ'. કંસે દેવકીની વાત માનીને દેવકી અને વાસુદેવને જેલમાં પૂરી દીધા.  

જ્યારે આઠમા બાળકનો જન્મ થવાનો હતો ત્યારે

વાસુદેવ અને દેવકીના સાત પુત્રો થયા. દેવકીએ પોતાના વચન પ્રમાણે સાતેય બાળકોને જન્મ લેતા જ કંસને આપ્યા, જેમને કંસે મારી નાખ્યા. અને જ્યારે આઠમા બાળકની તૈયારી હતી, ત્યારે ભગવાન વિષ્ણુએ વાસુદેવ અને દેવકીના દુઃખી જીવનને જોઈને આઠમા પુત્રની રક્ષાનો ઉપાય રચ્યો.  

વિષ્ણુના આઠમા અવતારની તૈયારી

મથુરાની નજીક યદુવંશી સરદારને પણ બાળક થવાનો હતો. અને જ્યારે દેવકીને પુત્ર થયો ત્યારે જ ભગવાન વિષ્ણુના આદેશથી યોગમાયાએ યશોદાના ગર્ભમાં બાળકીના રૂપે જન્મ લીધો.

PROMOTIONAL 13

આવી રીતે થયો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ

જે જેલમાં દેવકી અને વાસુદેવને રાખ્યા હતા તેમ અચાનક પ્રકાશ થયો અને તેમની સામે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને કહ્યું કે, 'હું તમારા બંનેના પુત્ર સ્વરૂપે અવતરી રહ્યો છું.  મારા શિશુના રૂપે જન્મ લેતા જ, તમારા મિત્ર નંદજીના ઘરે લઈને જજો. અને તેમની દીકરીને લઈને કંસને સોંપી દેવી. તમે માર્ગની ચિંતા ન કરો, તમને ગોકુળ જવાનો માર્ગ મળી જશે.'

1111

વધુ વાંચો: ભગવાન કૃષ્ણે જીવ કરતાં વધારે વહાલી વાંસળી કેમ તોડી નાખીતી? કાના ખૂબ રડ્યોતો

અડધી રાત્રે જ કેમ થયો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ

માન્યતા પ્રમાણે ચંદ્રદેવની ઈચ્છા હતી કે શ્રી વિષ્ણુ મારા કુળમાં કૃષ્ણ રૂપે જન્મ લે. સૌથી મહત્વની હકીકત એ છે કે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીની અડધી રાત્રે જ તે શુભ સમયની રચના થઈ રહી હતી, જ્યારે ભગવાન વિષ્ણુ 64 કલાઓમાં પારંગત એવા ભગવાન કૃષ્ણ તરીકે જન્મ લઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Janmashtami Shri Krishna Janma Katha Lord Vishnu Eighth Incarnation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ