બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / Itah MP Rajveer Singh was traveling in Delhi-bound Gomti Express train from Lucknow's Charbagh railway station mosquito
Pravin Joshi
Last Updated: 04:07 PM, 25 April 2023
ઉત્તર પ્રદેશમાં મચ્છર કરડવાનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. ઇટાહના સાંસદ રાજવીર સિંહ લખનૌના ચારબાગ રેલવે સ્ટેશનથી દિલ્હી જવા નીકળેલી ગોમતી એક્સપ્રેસ (12419) ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેને મચ્છર કરડયું હતું અને પછી સાંસદે ફરિયાદ નોંધાવી અને સમગ્ર વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો. ફરિયાદ બાદ તાત્કાલિક રેલ્વે કર્મીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને ટ્રેનને રોક્યા બાદ સમગ્ર બોગીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બોગીની સફાઈ પૂરી થયા બાદ જ ટ્રેનને ત્યાંથી આગળ રવાના કરવામાં આવી હતી.
સાંસદ સાથે મુસાફરી કરી રહેલા માન સિંહે ટ્વિટર પર ટ્રેનમાં મચ્છર કરડવાની ફરિયાદ કરતા લખ્યું હતું કે સાંસદ રાજવીર સિંહ ટ્રેનના પહેલા એસી કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેનનું બાથરૂમ ગંદુ છે અને મચ્છરો કરડે છે. જેના કારણે સાંસદ માટે બેસવું પણ મુશ્કેલ બન્યું છે. આ ટ્વીટ પછી અધિકારીઓ એક્શનમાં આવી ગયા અને ટ્રેનને ઉન્નાવ ખાતે રોકી દેવામાં આવી. આ પછી આખો ડબ્બો સાફ કરવામાં આવ્યો. મચ્છરોને દૂર કરવા માટે આખી બોગીમાં છંટકાવ કરવામાં આવ્યો હતો. આ પછી ટ્રેનને ઉન્નાવ રેલવે સ્ટેશનથી દિલ્હી રવાના કરવામાં આવી હતી.
સામાન્ય માણસની સમસ્યા કે ફરિયાદ કોઈ સાંભળતું નથી
રેલવેના આ પગલાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો કહે છે કે સામાન્ય માણસ મુસાફરી દરમિયાન સતત આવી સમસ્યાઓનો સામનો કરે છે, પરંતુ તેની સુનાવણી ભાગ્યે જ થાય છે. તે ફરિયાદ કરતો રહે છે. પરંતુ જ્યારે કોઈ નેતાજીને કોઈ સમસ્યા હોય ત્યારે વહીવટીતંત્ર તરત જ એક્શનમાં આવે છે. રેલ્વેમાં મુસાફરી કરતી વખતે લોકો હંમેશા ફરિયાદ કરે છે કે તેમની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. ઉનાળામાં ક્યારેક પાણીની તંગી, ક્યારેક ગંદકી તો ક્યારેક ખરાબ પંખાની ફરિયાદો આવી સમસ્યાઓથી મુસાફરો હંમેશા પરેશાન રહે છે પરંતુ ત્યારે તંત્ર કોઈ ફરિયાદ સાંભળતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ