બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 08:56 AM, 7 February 2024
ઈરાન સરકારે મંગળવારે 6 ફેબ્રુઆરીના રોજ ભારતીય નાગરિકો માટે ફ્રી ટ્રાવેલ વિઝા શરતોની જાહેરાત કરી છે. યાત્રીકોએ હવાઈમાર્ગથી પ્રવેશ કરવા માટે અને મહત્તમ 15 દિવસ સુધી રહેવાની મંજૂરી રહેશે. ડિસેમ્બર 2023માં ઈરાને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 33 દેશના નાગરિકો માટે ખાસ જાહેરાત કરી હતી. આ 33 દેશોમાં ભારત, રશિયા, સંયુક્ત અરબ અમીરાત, સાઉદી અરબ, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપોર, મલેશિયા, બ્રાઝિલ અને મેક્સિકો સહિત અન્ય દેશ શામેલ છે. ઈરાનના સાંસ્કૃતિક વિભાગના મંત્રી, પર્યટન અને હસ્તશિલ્પ મંત્રી એજાતુલ્લા જારગામીએ જણાવ્યું હતું કે, પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વધુ સંખ્યામાં વિદેશી નાગરિક ઈરાન ફરવા માટે આવી શકે.
માત્ર 15 દિવસ રહેવાની મંજૂરી
ઈરાન સરકારે ફ્રી ટ્રાવેલ વિઝાની નવી શરતો બાબતે નિવેદન આપ્યું હતું કે, ઈરાની દૂતાવાસે જણાવ્યું કે, 4 ફેબ્રુઆરીથી 4 શરતો હેઠળ ભારતીય નાગરિકો માટે વિઝા સમાપ્ત કરી દીધા છે. ઈરાન સરકારે જણાવ્યું છે કે, સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીયોને દર 6 મહિને એક વાર વિઝા વગર ઈરાનમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે, જેમાં માત્ર 15 દિવસ સુધી રોકાવાની મંજૂરી આપવામાં આવશે. વિઝા સમાપ્તિના નિયમ હવાઈ માર્ગથી ઈરાનમાં પ્રવેશ કરનાર ભારતીયો પર જ લાગુ થાય છે. માત્ર ફરવાના ઈરાદાસર ઈરાન આવતા ભારતીયો પર જ આ નિયમ લાગુ થાય છે.
ઈરાની મિશન પાસેથી વિઝા મેળવવા જરૂરી
ભારતીય નાગરિક ઈરાનમાં વધુ સમય સુધી રહેવા માંગે છે તો અને 6 મહિનામાં વધુ વાર ઈરાનમાં પ્રવેશ કરે, અન્ય પ્રકારના વિઝાની જરૂર હોય તેમણે ભારતમાં ઈરાની મિશન પાસે જરૂરી વિઝા મેળવવાના રહેશે.
ઈરાન જતા નાગરિકોની સખ્યામાં 25 ટકા વધારો
વિશ્વ પ્રવાસન સંગઠનના આંકડા અનુસાર વર્ષ 2022માં ઈરાનમાં મોટી સંખ્યામાં વિદેશી ટુરિસ્ટ ગયા હતા. વર્ષ 2021ની સરખામણીએ વવર્ષ 2022માં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 315 ટકાનો વધારો થયો હતો. વર્। 2022માં 4.1 મિલિયન પ્રવાસીઓએ ઈરાનની મુલાકાત લીધી હતી. વર્ષ 2021માં 9,90,000 વિદેશી પ્રવાસીઓએ ઈરાનની મુલાકાત લીધી હતી. ડિસેમ્બર 2023માં ભારતથી ઈરાન જતા યાત્રિકોની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ