બ્રેકિંગ ન્યુઝ
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
VTV / Internet Becoming Toxic": IT Minister Says Law To Address Trolling Soon
Hiralal
Last Updated: 10:34 PM, 13 December 2022
કેન્દ્રીય સૂચના પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ઈન્ટરનેટ ઝેરી બની રહ્યું છે અને "ખોટી માહિતીને હથિયાર બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ઇન્ટરનેટ પર ટ્રોલિંગને રોકવા માટે સરકાર ટૂંક સમયમાં નવો કાયદો લાવશે. રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, સાયબર બુલિંગને નવા કાયદાના દાયરામાં લાવવામાં આવશે. નવો કાયદો આઈટી એક્ટનું સ્થાન લેશે.
ટ્રોલ થવાની ચિંતા નહીં રહે
તેમણે ઉમેર્યું હતું કે નવો કાયદાના અમલ બાદ કોઈએ ટ્રોલ થવાની ચિંતા કરવાની જરૂર નહીં રહે અને ઈન્ટરનેટ પર યુવતીઓ પણ સાયબર બુલિંગનો શિકાર નહીં બને. યુવાન છોકરીઓ, યુવાન છોકરાઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધ પેન્શનરો, મહિલા ગૃહિણીઓ અને યુવાન વ્યાવસાયિકો માટે - ઇન્ટરનેટ સલામત અને વિશ્વસનીય હોવું જોઈએ.
ઈન્ટરનેટ આજે ઝેરી બની રહ્યું છે
તેમણે કહ્યું કે હું જોઉં છું કે ઈન્ટરનેટ આજે ઝેરી બની રહ્યું છે. ખોટી માહિતીનું ચલણ વધી રહ્યું છે. હાલમાં ગુનેગારો સામે ભારતીય દંડ સંહિતાની ફોજદારી ધાકધમકી, જાતીય સતામણી, બદનક્ષી, પીછો કરવો, ઓનલાઇન પીછો કરવો અને વાંધાજનક સામગ્રી સાથે સંકળાયેલી કલમો હેઠળ કેસ દાખલ કરી શકાય છે, પરંતુ ઇન્ટરનેટના અનામીપણાને કારણે ટ્રોલર્સને છટકી જવાનું સરળ બન્યું છે.
ઈન્ટરનેટ વગર મોબાઈલમાં ટીવી ચેનલો જોઈ શકશો
તો બીજી તરફ તમે ઇન્ટરનેટ વગર મોબાઇલ પર ટીવી જોઇ શકશો. ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગના એકમ ટેલિકોમ એન્જિનિયરિંગ સેન્ટરે વાઇફાઇ એન્ટેના દ્વારા મોબાઇલ પર ટીવી કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાનો ડ્રાફ્ટ જારી કર્યો છે. આવનારા દિવસોમાં જલ્દી જ તમે ઇન્ટરનેટ વગર મોબાઇલ પર ટીવી જોઇ શકશો. આ નવી ટેકનોલોજી બાદ તમારો મોબાઇલ ટૂંક સમયમાં જ ટેલિવિઝન બની જશે. તમે ઇન્ટરનેટ વિના ટીવી ચેનલો જોઈ શકશો. આ નવી ટેક્નોલોજી બાદ તમારે મોબાઇલ પર ટીવી જોવા માટે ડેટાનો ઉપયોગ નહીં કરવો પડે. એવું માનવામાં આવે છે કે આ નવી તકનીકને તમારા મોબાઇલ માટે કોઈ વધારાના હાર્ડવેરની જરૂર નહીં પડે. ટેલિકોમ વિભાગના ડ્રાફ્ટ અનુસાર, કોઈ વ્યક્તિ વાઈફાઇ એન્ટેના દ્વારા મોબાઇલ પર ટીવી કાર્યક્રમોની મજા માણી શકશો. આ માટે તેમના મોબાઈલના ડેટા પણ નહીં વપરાય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ