બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Khevna
Last Updated: 02:48 PM, 20 February 2022
યૂક્રેન તથા રુસ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. રુસ ક્યારેય પણ યૂક્રેનની રાજધાની કીવ પર હુમલો કરી શકે છે. આવામાં ભારત સરકારે પોતાના નાગરિકોને પાછા વતન લાવવા માટે પહેલ કરી છે. સરકારે યૂક્રેનની રાજધાની કીવથી દિલ્લી વચ્ચે ફ્લાઈટ ચલાવવાનો નિર્ણય કર્યો છે .
એર ઇન્ડિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 22, 24, 26 ફેબ્રુઆરીએ કીવના બોરિસ્પોલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્લીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ઉડાનો ભરાશે. ફ્લાઈટ્સ માટે બુકિંગ એર ઇન્ડિયા કાર્યાલયો, વેબસાઈટ, કોલ સેંટર તથા ટ્રાવેલ એજન્ટ દ્વારા થઇ શકે છે.
રુસ તથા યૂક્રેન વચ્ચે વિવાદને કારણે ભારત માટે ઉડાનો ભરવી મોંઘી થઇ ગઈ છે તથા 20 ફેબ્રુઆરી બાદ જ ઉપ્લાબ્દ્ધ છે. એક ટિકિટની કિંમત એક લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એર ઇન્ડિયાની ફ્લાઈટ શરુ થવાથી ટિકિટના ભાવ ઓછા થઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર, યૂક્રેનમાં ભણી રહેલા લગભગ 18,000 ભારતીય છાત્રો ફંસાયા છે.
#FlyAI : Air India is operating 3 flights between India & Ukraine on 22nd, 24th & 26th FEB 2022 .
— Air India (@airindiain) February 19, 2022
Seats are available on these flights.
Booking open through Air India Booking offices, Website, Call Centre and Authorised Travel Agents.@IndiainUkraine pic.twitter.com/jKW5InGCOR
ઉડાનો પરથી પ્રતિબંધ હટાવાયો
ભારતના સિવિલ એવિએશન મંત્રાલયે હાલમાં જ એર બબલ સમજૂતી હેઠળ બંને દેશો વચ્ચે આવવા જવાવળી ઉડાનોની સંખ્યા પરથી બેન હટાવ્યો છે. હવે એરલાઈન્સ કંપનીઓ ગમેતેટલી ફ્લાઈટ્સ સંચાલિત કરી શકે છે.
યૂકેનમાં ફંસાયેલ ભારતીય નાગરીકોએ કહ્યું-થેંક યૂ
યૂક્રેનમાં ફંસાયેલ ભારતીયોએ કેંદ્ર સરકારના આ પગલાને સમ્માન આપતા ધન્યવાદ કહ્યું છે. આ પહેલા યૂક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે તેમની પાસે ઘણા લોકોનો ફોન આવી રહ્યો છે. આ બધા નાગરીકો યૂક્રેનથી ભારત માટે ઉડાનો ઉપલબ્ધ ન હોવાને કારણે ફરિયાદો કરી રહ્યા હતા.
બાઇડન બોલ્યા- ક્યારેય પણ થઇ શકે છે કીવ પર હુમલો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને શુક્રવાર રાત્રે ટીવી સંબોધનમાં દાવો કર્યો હતો કે યૂક્રેન પર હુમલો કરવાની પૂરી તૈયારી રુસ કરી ચુક્યું છે. અમારી પાસે ખુફિયા રિપોર્ટ છે કે રુસની સેનાએ સૌથી પહેલા યૂક્રેનની રાજધાની કીવને નિશાનો બનાવવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું છે કે કીવમાં 28 લાખ લોકો રહે છે તથા રુસના હુમલાની સ્થિતિમાં તેમનો જીવ ખતરામાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime