બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Increased security in several cities on suspicion of terror attacks, suspected terrorists have entered the country
Dharmishtha
Last Updated: 03:57 PM, 4 October 2019
આતંકીઓએ હુમલા માટે કરી મિટીંગ
આતંકી હુમલાને અંજામ આપવા માટે જૈશ કમાન્ડર અબુ ઉસ્માને 3 આતંકીઓ સાથે મિટિંગ પણ કરી લીધી છે. સુરક્ષાદળોને મળેલી માહિતી મુજબ લગભગ ૫-૬ દિવસ અગાઉ આતંકી અબુ ઉસ્માને બાંદિપોર જિલ્લાનાં પીએસ હાઝિન સેક્ટરમાં મીર મહોલ્લા સ્થિત એક સફરજનના બગીચામાં પોતાના સાથીઓ સાથે બેઠક કરી હતી.
ઉસ્માને કાશ્મીરના લોકોને શું કહ્યું ?
મિટીંગમાં ઉસ્માને કાશ્મીરનાં લોકો જલ્દી જમ્મુ અને દિલ્હીમાં એક મોટા હુમલાનાં ખુશખબર મળશે. એવી જાહેરાત પણ કરી હતી. તેમજ ઉસ્માને આ કામને અંજામ આપનારા 5 લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હોવાનો પણ દાવો કર્યો હતો. આ દરમિયાન આતંકી ઉસ્માન સાથે અન્ય બે લોકો સ્નાઇપર રાઇફલ અને એકે- 47, પિસ્તોલ અને ગ્રેનેડ જેવા હથિયારો સાથે હાજર હતાં.
ફટાકડા અને કાશ્મીરી સફરજનનો મતલબ શું છે?
મોહમ્મદનાં 3 થી 4 તાલિમબદ્ધ ગ્રૂપને 'કરો યા મરો'નું કામ આપીને દિલ્હી, કાશ્મીર અને પંજાબમાં મોકલવામાં આવ્યાં છે. ગુપ્તચર એજન્સીઓએ આતંકીઓની વાતચીતનાં જે કોડ ઈન્ટરસેપ્ટ કર્યા છે. તેમાં દિવાળીના ફટાકડા, કાશ્મીરી સફરજનોનો દિલ્હીમાં સપ્લાય જેવા શબ્દોનો સમાવેશ થયો છે.
સફરજનના બગીચામાં ઘડાયો આતંકી પ્લાન
દિલ્હીને બરબાદ કરવાનો આ પ્લાન 5 દિવસ કાશ્મીરના સફરજનના બગીચામાં તૈયાર થયો છે એવી માહિતી પ્રાપ્ત થઇ છે. આ પ્લાનને જમ્મું કાશ્મીરના કમાન્ડર અબુ ઉસ્માનને તૈયાર કરી તેને 'ડી' નામ આપ્યું છે. આતંકીઓમાં કશ્મીરી, અફઘાની અને 2 પાકિસ્તાની યુવકો સામેલ છે. આત્મઘાતી ટુકડીઓએ સુરક્ષિત સ્થળોથી ઘૂસણખોરી કરી છે. આતંકીઓની નજર દિલ્હી, હિંડન એરબેસ, જમ્મું, પઠાણકોટ, શ્રીનગર અને લેહ પર છે. જોકે દિલ્હી સિવાય પણ અન્ય જગ્યાએ પણ આતંકી હુંમલાની શક્યતાને પગલે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT