બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / If you want to be happy in life stay away from people with these 6 qualities
Kishor
Last Updated: 08:49 AM, 20 October 2023
ઘણી વખત આપની આજુબાજુમાં રહેલા લોકો અને આપણી જેની સાથે ઉઠકબેઠક હોય છે તેવા વ્યક્તિઓનો આપણા જીવનમાં પ્રભાવ પડતો હોય છે આવી સ્થિતિ હોય છે. ઘણા જીવનમાં ફક્ત નકારાત્મકતાથી ભરેલા હોય છે અને તે સામે વાળામાં પણ નકારાત્મકતા ભરી દેતા હોય છે. આવી સ્થિતિમાં આવા લોકોથી દૂર રહેવું જરૂરી છે. આમ 6 લોકોથી અંતર જાળવવું તમારા ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
નકારાત્મકતા
આવા લોકો તમારા જીવનમાં સતત નકારાત્મકતા ભરી દે છે. જે સતત તમારી ટીકા કર્યા કરે અને સંબંધોમાં અડચણ ઉભી કરે છે. જે તમને ભાવનાત્મક રીતે થકાવી શકે છે. ત્યારે માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને બચાવવા માટે, તમારે આ લોકોથી દૂર રહેવું જરૂરી છે.
હાવી થઈ જવાવાળા લોકો
આ પ્રકારના પ્રભાવશાળી લોકો તમારા પર વર્ચસ્વ સ્થાપવા મથતા હોય છે. તે પોતાના દરેક કામ તમારી ઇચ્છા ન હોવા છતાં કરાવે છે. જે તમને નિયંત્રિત રાખવાના પ્રયાસમાં જ રહે છે. આથી જ તમારુ માન જાળવવા માટે, તમારે આવા લોકોથી દૂર રહેવું જરૂરી છે.
જુઠ્ઠા લોકો
બીજી બાજુ વાતે વાતે જૂઠું બોલતા લોકોનો પણ સાથ સહકાર રાખવો જોઈએ નહીં કારણ કે તેઓ તમારા વિશ્વાસ તેમજ તમારી માનસિક શાંતિને તોડી શકે છે. આવી સ્થિતિમાં આ લોકોને ઓળખવા અને તેમનાથી દૂર રહેવું જરૂરી છે.
અહંકારી લોકો
અહંકારી લોકો ફક્ત પોતાનું જ વિચારે છે અને આ લોકોને ઘણીવખત કોઈની પડી હોતી નથી. તે સહાનુભૂતિ ધરાવતા નથી. પરિણામે તમારી ભાવનાત્મક રીતે નુકસાન પહોંચાડી શકે છે. આવા લોકો સાથે પણ કામથી કામનો સબંધ રાખવો જોઈએ.
એનર્જી નીચોવી નાખતા લોકો
ઘણા લોકો તેમનામાં રહેલ નકારાત્મકતા અને નિરાશાવાદથી ઉર્જાનો સતત નિકાલ કર્યા રાખે છે. તમારો સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખવા માટે આ લોકોથી અંતર રાખવું જોઈએ.
ડ્રામા કરવાવાળા લોકો
નાની નાની બાબતોમાં ડ્રામાં કરીને તમામ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાની દિશામાં એક્ટિવ રહેતા લોકો તમારા માનસિક સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. આથી આવા લોકોથી દૂર રહેવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ