બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / 'Hostel in the name of Rahul-Priyanka on government land in Amethi', Smriti Irani's big allegation
Hiralal
Last Updated: 09:06 PM, 7 February 2023
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર સ્મૃતિ ઈરાની ચર્ચામાં બોલી રહ્યા છે. તેમણે રાષ્ટ્રપતિ, નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાહુલ ગાંધી પર પણ ટોણો માર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અમેઠીમાં પ્રિયંકા અને રાહુલ ગાંધીના નામ પર હોસ્ટેલ બનાવવામાં આવી હતી. તે પણ એકેડેમીની જમીન પર. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર પર વીણીવીણીને નિશાન સાધ્યું હતું.
For 30 years, the people of Amethi were repeatedly
— ANI (@ANI) February 7, 2023
told that a medical college will be opened. But if you visit Amethi you will see that this one family made a guest house for themselves on the land allocated for medical college: Union minister Smriti Irani in Lok Sabha pic.twitter.com/xKqrxZaSEv
એક સજ્જને પ્રધાનસેવક પર કર્યો કટાક્ષ
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે એક સજ્જન (રાહુલ ગાંધી)એ પ્રધાનસેવક પર હુમલો કર્યો. અમેઠીમાં જેમને લોકોએ નકાર્યાં તેઓ પ્રધાનસેવક પર કટાક્ષ કરી રહ્યાં છે. અમેઠીમાં મેડિકલ કોલેજ જો કોઈએ પહેલા આપી હોય તો તેઓ પીએમ મોદી છે.
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ
આજે લોકસભાની કાર્યવાહી શરુ થતાં કોંગ્રેસમાંથી રાહુલને બોલવાનું હતું. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે શરૂઆતમાં, મેં વિચાર્યું હતું કે આ પ્રવાસ ખૂબ જ મુશ્કેલ હશે, પરંતુ તેમાંથી ઘણું શીખવા મળ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આજના રાજકારણમાં પરંપરાઓને ભુલાવી દેવામાં આવી રહી છે. તમે પણ રાજકારણી છો, અમે પણ. આપણે ચાલવાની પરંપરા ભૂલી રહ્યા છીએ. રાહુલે કહ્યું કે આપણે બધા જનતાના સેવક છીએ.
For 30 years, the people of Amethi were repeatedly
— ANI (@ANI) February 7, 2023
told that a medical college will be opened. But if you visit Amethi you will see that this one family made a guest house for themselves on the land allocated for medical college: Union minister Smriti Irani in Lok Sabha pic.twitter.com/xKqrxZaSEv
અગ્નિવીર યોજના પર શું બોલ્યાં રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે મુલાકાત દરમિયાન તેમને જનતા સાથે વાત કરવાની, તેમની સમસ્યાઓ સાંભળવાની તક મળી. "અત્યારે તમે અગ્નિવીર યોજનાની પ્રશંસા કરી છે, પરંતુ સેનામાં ભરતી માટે સવારે 4 વાગ્યે રસ્તા પર દોડતા બેરોજગાર યુવાનો આ વાત સાથે સહમત નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકો કહે છે કે અજીત ડોભાલે સેના પર અગ્નિવીર યોજના લગાવી છે. સમાજમાં એટલી બધી બેરોજગારી છે, અગ્નિવીર પછી સમાજમાં હિંસા વધશે.
There is an airport called Fursatganj. The land is of govt but the family has opened hostels in name of son & daughter. PM makes infra in name of Subhas Chandra Bose, Sardar Vallabhbhai Patel but hostels have been built there in the name of Rahul and Priyanka: BJP MP Smriti Irani pic.twitter.com/HWRSoCF702
— ANI (@ANI) February 7, 2023
રાહુલે ડોભાલનું નામ લેતા શાસક પક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો
રાહુલ ગાંધીએ અજીત ડોભાલનું નામ લેતા શાસક પક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે હોબાળો મચાવ્યો હતો અને કહ્યું કે તમે તેમનું નામ ન લઈ શકે. આના પર રાહુલ ગાંધી અને કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે તેઓ તેને કેમ નથી લઈ શકતા. તેઓ ગૃહમાં નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT