બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac or rashifal says how your day will be spent
Mayur
Last Updated: 09:15 AM, 22 May 2022
આજનું પંચાંગ
22 05 2022 રવિવાર
માસ વૈશાખ
પક્ષ કૃષ્ણ
તિથિ સાતમ (બપોરે 12.59 પછી આઠમ)
નક્ષત્ર ધનિષ્ઠા
યોગ ઈન્દ્ર
કરણ બવ (બપોરે 12.59 પછી બાલવ)
રાશિ કુંભ (ગ,શ,સ,ષ)
----------------------
દેવ દર્શન - મહેસાણા જિલ્લામાં આવેલા શંખલપુર ગામે જગવિખ્યાત શ્રી બહુચરાજી માતાજીના મંદિરે વરખડીના ઝાડવા ચોતરફ ઘેઘુર હોવાથી દર્શનાર્થીઓમાં અનેરૂ આકર્ષણ જાગે છે...સોૈ આસ્થાભેર દર્શન-પૂજન કરી જીવનમાં પૂણ્યનું ભાથુ બાંધી રહયા છે, સાથે સાથે મનમોહક વરખડીના વૃક્ષોમાં પણ પાંદડે-પાંદડે આસ્થા સમાયેલી હોય છે.
કહેવાય છે કે, અગાઉ મંદિર નાનું હતુ, સ્થાનકનો વહીવટ આશરે ૨૫૦ થી ૩૦૦ વર્ષ પહેલા પૂજય બાવા કરતા હતા...પરંતુ સમય જતા માતાજીની કૃપાથી શ્રી શિવગીરીબાપુ જે તે અરસામાં ઝાલાવાડના શીયાણી ગામના દેવરામ દવેને મંદિરની સેવાની તક આપી આપ્યા બાદ ચાર ધામની યાત્રાએ ચાલી નિકળ્યા હતા.એ સમયે દેવરામ દવે દ્વારા સ્થાનકનો વહીવટ થતો, ત્યાર બાદ એમના વારસદારો પણ પુજા પાઠ કરતા હતા.
વિક્રમ સવંત ૧૨૮૦ના તામ્ર પત્રમાં ઉલ્લેખ મુજબ સોલંકી વંશના તેજસ્વી રાજા વીર પ્રતાપી લવણપ્રસાદે તેમની જનેતા (માતા) શલખણબાઇ (સુલક્ષણા)ના નામ ઉપરથી ગામનું નામ શંખલપુર પાડેલ છે.
ભીમદેવ (ભાળાભીમ)ના કુંવર લવણપ્રસાદે આ સ્થાન વસાવ્યુ.માનવામાં આવે છે કે, દૈત્ય દંઢાસુર અને સાથી રાક્ષસોનો વધ કરી વરખડીવાળી જગ્યા (વૃક્ષોની ઝાડી)એ આવી વિશ્રાંતિ લીધી તે સ્થળ શંખલપુર નામે પ્રખ્યાત છે. આ જગ્યા શ્રી માતાજી બહુચરાજી ગામાના આધ્યસ્થાને આવી વસ્યા એ જ સ્થળ હાલનું શ્રી બહુચરાજી ગામ છે.
શ્રી માતાજીના પગલાવાળા સ્થાને દર ચૈત્ર અને આસો માસની પૂનમે બહુચરાજી ગામથી રાત્રે સવારી પાલખી નિકળી અસલ સ્થાને પહોંચે છે.
શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
ADVERTISEMENT
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.06 થી 1.49 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.31 થી 5.52 સુધી
ADVERTISEMENT
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
---------------------------------------
મેષ (અ.લ.ઈ.)
કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે
સ્નેહીના સંપર્કથી લાભ થશે
વ્યવસાયમાં વૃદ્ધિ થશે
પરિવારના સુખમાં વૃદ્ધિ થશે
વૃષભ (બ.વ.ઉ.)
સરકારી કામમાં સફળતા મળશે
કરેલા કાર્યો ફળદાયી બનશે
નોકરી બાબતે સારા સમાચાર મળશે
ધંધામાં લાભ મેળવી શકશો
મિથુન (ક.છ.ઘ.)
કામમાં નિરાશાનો અનુભવ થશે
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે
ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે
ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે
કર્ક (ડ.હ.)
ધન અને માનનો વ્યય જણાશે
નોકરીમાં પરેશાની રહેશે
માનસિક તણાવ જણાશે
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે
સિંહ (મ.ટ.)
દરેક કામકાજમાં સફળતા મળશે
ધંધામાં નવી તકો મળશે
નોકરીમાં બઢતીની તકો મળશે
પારિવારિક સંબંધોમાં લાભ થશે
કન્યા (પ.ઠ.ણ.)
ધંધાનાં કામમાં સફળતા મળશે
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો
આત્મવિશ્વાસમાં વધારો થશે
ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે
તુલા (ર.ત.)
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે
નવા સંબંધોમાં નિરાશા જણાશે
નોકરીમાં નવી તકો મળશે
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે
વૃશ્ચિક (ન.ય.)
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે
સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે
નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે
વ્યવસાયમાં ધનલાભ થશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
આજે ભાગ્ય અનુકૂળ જણાય છે
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે
વિકાસના કાર્યોમાં ગતિ આવશે
દિવસ આનંદમાં પસાર થશે
મકર (ખ.જ.)
વાદ-વિવાદના કામથી બચવું
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે
ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે
પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે
કુંભ (ગ.શ.ષ.સ.)
કામની સફળતામાં ખુશી અનુભવશો
નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે
સ્વજનોનો સહયોગ મળશે
ધંધામાં સુધારો જોવા મળશે
મીન (દ.ચ.ઝ.થ.)
માનસિક તણાવ જણાશે
કામમાં મધ્યમ સફળતા મળશે
વિરોધીઓથી સાવધાન રહેવું
નિરાશાથી દૂર રહેવું
-----------------------------
શું કરવું? : સવારે પીપળાની પૂજા કરવી
શું ના કરવું? : આળસ ન કરવી જોઈએ
આજનો મંત્ર : ઓમ ધૃણિ: સૂર્યાય નમ:
આજનું દાન : માતાજીના મંદિરમાં શ્રીફળનું દાન કરવુ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.