બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / home remedies to get rid of stomach bloating and gastric problem
Manisha Jogi
Last Updated: 01:10 PM, 26 January 2024
ઘણા લોકો આખો દિવસ ગમે તે ખાતા હોય તો પણ તેમના પાચન પર અસર થતી નથી, પણ રાત્રે જમ્યા પછી પેટમાં આફરો આવી જાય છે. ખરાબ ડાયટ અને અયોગ્ય લાઈફસ્ટાઈલને કારણે રાત્રે પેટમાં ગેસ બનવા લાગે છે. મોટાભાગના લોકો સૂવાના દોઢ કલાક પહેલા જમે છે અને જમ્યા પછી તરત જ સૂઈ જાય છે.
જમ્યા પછી તરત સૂઈ જવાને કારણે પાચન પર અસર થાય છે. રાત્રે મેટાબોલિઝમ ઓછુ થાય છે, જેથી ભોજન ભારે હોય તો પાચન થવામાં મુશ્કેલી થાય છે. પેટમાં ગેસ થવાને કારણે વારંવાર ઓડકાર આવે છે અને પેટમાં દુખાવો તથા બળતરા થાય છે. પેટમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જેના કારણે પેટમાં પ્રેશર લાગે છે અને સોજો આવ્યો હોય તેવું લાગે છે. નિષ્ણાંતો અનુસાર કેટલાક ઘરગથ્થુ ઉપાય અપનાવીને પેટ ફૂલવાની સમસ્યાથી રાહત મળે છે.
ધાણા અને મિશ્રીનું સેવન (Mishri Coriander Seeds)
ગેસ અને અપચા માટે ધાણાને કારગર ઉપાય માનવામાં આવે છે. પેટ ફૂલવાની સમસ્યાથી રાહત મેળવવા માટે ધાણા અને મિશ્રીનું સેવન કરવું. બે ભાગની મિશ્રી અને એક ભાગ ધાણા લઈને મિક્સ કરો અને પીસીને તેનો પાઉડર બનાવી લો. સવાર સાંજ આ પાઉડરનું સેવન કરવાથી પાચન સારુ રહે છે. ખાટા ઓડકાર, પેટની બળતરા, એસિડિટી અને કબજિયાતથી રાહત મળે છે.
ઈસબગુલ
પાચન ખરાબ રહેતુ હોય અને કબજિયાતની સમસ્યા હોય તો રાત્રે સૂવો તેની 20 મિનિટ પહેલા ઈસબગુલનું સેવન કરવું. જેથી કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યાથી રાહચ મળે છે.
અજમો અને મરીનું સેવન કરવું (Ajwain Black Salt)
પેટ ફૂલવાની સમસ્યા, ગેસ અને એસિડિટીની સમસ્યા હોય તો અજમો અને મરીનું સેવન કરવું. જેથી પેટમાં ગેસ થતો નથી. એક ચમચી અજમો લો અને તવા પર સેકી લો. તેમાં એક ચમચી મરી મિશ્ર કરીને તેનું સેવન કરવું.
લીંબુ પાણીનું સેવન કરવું (Lemon Water)
રાત્રે જમ્યા પછી પેટ ફૂલવાની સમસ્યા અને આફરો બનવા લાગે તો જમ્યા પહેલા એક ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવું. લીંબુ પાણીને પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. જેથી પાચનતંત્ર યોગ્ય પ્રકારે કામ કરે છે અને પીએચ લેવલ જળવાઈ રહે છે.
વધુ વાંચો: ચિંગમ ખાવાથી ફાયદો કે નુકસાન? 1ને બાદ કરતાં 5 અસરદાર લાભ, જીવ કદી નહીં ગભરાય
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ