બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Khyati
Last Updated: 05:00 PM, 23 February 2022
આજના સમયમાં પગમાં સોજો ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેનું કારણ ખોટી જીવનશૈલી, પોષણનો અભાવ, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ અને સ્થૂળતા છે. પગમાં લાંબા સમય સુધી સોજો આવવાનું કારણ ગર્ભાવસ્થા, ઘડપણ, પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ અને રક્તપરિભ્રમણના અભાવ હોઇ શકે છે. ત્યારે આવા સમયે ડોક્ટરની સલાહ મુજબ મેડિકેશન લઇને ઘરગથ્થુ ઉપચાર પણ અપનાવી શકો છો.
સિંધવ મીઠું
સિંધવ મીઠુ જેને રોક સોલ્ટ પણ કહેવામાં આવે છે. જે સ્નાયુના દુખાવા અને સોજાને મટાડીને તાત્કાલિક રાહત આપે છે. આ માટે તમારે માત્ર એક ટબમાં ગરમ પાણીમાં અડધો કપ સિંધવ મીઠું મિક્સ કરવાનું. ગરમ પાણીમાં પગને લગભગ 10 થી 15 મિનિટ સુધી ડૂબે તે રીતે પલાળી રાખવા. રાત્રે સૂતા પહેલા આ ઉપાય કરવાથી પગમાં સોજા ચઢ્યા હોય તેઓને રાહત મળે છે.
બેકિંગ સોડા
ખાવાના સોડામાં સોજા વિરોધી ગુણો જોવા મળે છે. બેકિંગ સોડાથી પગ ધોવાથી પગમાં જમા થયેલું વધારાનું પાણી શોષી લે છે. ઉપરાંત, તે પગના રક્ત પરિભ્રમણને સુધારે છે. તેના માટે બે ચમચી ચોખા લો અને તેને પાણીમાં ઉકાળો. હવે આ પાણીમાં લગભગ બે ચમચી ખાવાનો સોડા મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને પગ પર લગભગ 15-20 મિનિટ સુધી પગ પર રહેવા દો પસૂજી ગયેલા પગ માટે લીંબુ-તજ અસરકારક છે
લીંબુ અને તજ
લીંબુમાં માત્ર વિટામિન સી જ નથી, પરંતુ તેમાં સોજા વિરોધી ગુણધર્મો પણ છે. તજ અને ઓલિવ ઓઇલમાં પણ એવા ગુણધર્મો છે જે સોજો ઘટાડે છે. તમારે માત્ર એક ચમચી લીંબુના રસમાં અડધી ચમચી તજનો પાવડર મિક્સ કરવાનો છે અને લગભગ એક ચમચી ઓલિવ તેલ ઉમેરવાનું છે. હવે તેમાં એક ચમચી દૂધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને પગ પર લગાવો અને આખી રાત રહેવા દો. જો તમે આ કામ દિવસમાં કરવા માગતા હોવ તો આ પેસ્ટ લગાવીને 6 કલાક સુધી રહેવા દો અને પગ ધોઇ લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT