બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / Health ministry releases new guidelines for home isolation of corona Patient
Hiren
Last Updated: 11:48 PM, 2 July 2020
નવી ગાઇડલાઇન અનુસાર, સામાન્ય લક્ષણો અથવા લક્ષણો વગરના દર્દીઓ જેમને કોઈ બીજી બીમારી નથી તેઓ હોમ આઇસોલેશનમાં રહીને પોતાની સારવાર કરાવી શકે છે, પરંતુ આના માટે પહેલા ડૉક્ટરની મંજૂરી લેવી પડશે. હોમ આઇસોલેશન પૂર્ણ થયા બાદ ટેસ્ટિંગની જરૂર નહીં રહે. મોટી સંખ્યામાં વગર લક્ષણો વાળા દર્દીઓ સામે આવ્યા બાદ આ નવા આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
સરકારની આ નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, જો હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, છાતીમાં દુખાવો શરૂ થાય છે અથવા બોલવામાં તકલીફ થાય છે તો તેમને હોસ્પિટલ આવવું પડશે. આ સિવાય 60 વર્ષથી ઉપરના દર્દીઓને હોસ્પિટલમાં જ સારવાર કરાવવી પડશે.
આ સિવાય જેમને ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, કેન્સર, કિડની, ફેફસા સંબંધિત બીમારી છે તેમને પણ હોસ્પિટલમાં જ સારવાર કરાવવી પડશે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, હોમ આઇસોલેશનમાં રહેનારા દર્દીને પરિવારના સભ્યોથી બિલકુલ અલગ રહેવું પડશે. મંત્રાલયની ગાઇડલાઇન તે તમામ રાજ્યો માટે છે જેમણે હોમ આઇસોલેશનને મંજૂરી આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT