બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જાણો ચાંદીપુરા વાયરસ શું છે, કેવી રીતે ફેલાય છે, શું છે લક્ષણો અને બચવાના ઉપાયો

Video / જાણો ચાંદીપુરા વાયરસ શું છે, કેવી રીતે ફેલાય છે, શું છે લક્ષણો અને બચવાના ઉપાયો

Last Updated: 11:53 AM, 18 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.

છેલ્લા એક અઠવાડિયાથી એક વાયરસે નાના માસૂમ બાળકો પર આંતક મચાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ વાયરસના 26 કેસ નોંધાયા છે અને 14 લોકોના મૃત્યુ થયા છે. જો કોઈ બાળક આ વાયરસની ચપેટમાં આવી જાય અને જો એની સારવાર ન કરવામાં આવે તો 48 થી 72 કલાકમાં બાળકનું મોત થઈ જાય છે. અહીં ચાંદીપુરા વાયરસ વિશે વાત થઈ રહી છે. ચાલો જાણીએ શું છે આ ચાંદીપુરા વાયરસ, એના લક્ષણ અને આનાથી કેવી રીતે બચી શકાય.

27 જૂનથી હિંમતનગર સિવિલમાં અચાનક એકાએક બિમાર બાળકો દાખલ થવા લાગે છે અને ડોક્ટર પણ ચિંતામાં મુકાઈ જાય છે. બાળકોને એકાએક તાવ, ઉલટી, માથાના દુખાવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ બાદ સારવાર દરમિયાન એક બાળકનું મોત થઈ જાય છે. પછી જાણવા મળે છે કે આ ચાંદીપુરા વાયરસ છે, જે બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો. એ સમયે ટેકનોલોજી અને હોસ્પિટલોના અભાવને કારણે કેટલાય બાળકોના મોત પણ થયા હતા, એ સમયે આ વાયરસ ક્યાંથી આવ્યો એ કોઈને ખબર પડી ન હતી, પરંતુ ચાંદીપુરા ગામમાં પહેલો કેસ સામે આવ્યો એટલા માટે લોકો આને ચાંદીપુરા વાયરસ નામથી ઓળખવા લાગ્યા. વર્ષ 2010થી આ ચાંદીપુરા વાયરસના કેસ વધારે દેખાવા લાગ્યા છે.

કેવી રીતે ફેલાય છે આ વાયરસ

આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.

PROMOTIONAL 13

ચાંદીપુરા વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુઃખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.

આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસને ફેલાતો રોકવા આરોગ્ય વિભાગની બેઠક, અત્યાર સુધીમાં 14 બાળકોના મોત

આ વાયરસથી બચવા શું કરવું

વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

symptoms of chandipura virus chandipura virus Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ