બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Bijal Vyas
Last Updated: 05:12 PM, 11 August 2023
Eye Flu: આંખનો ફ્લૂ દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઘણા લોકોને સારવારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન આયુર્વેદિક ડોક્ટર અનુસાર, આંખના ફ્લૂની સારવાર દરેક પદ્ધતિમાં શક્ય છે, પરંતુ આયુર્વેદિક પદ્ધતિમાં તેની એક અચૂક રેસિપી છે, જેના કારણે આંખના ફ્લૂનો ચેપ મૂળથી ખતમ થઈ જાય છે. આયુર્વેદમાં આંખના ફ્લૂની સારવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને 'સેક' કહેવામાં આવે છે. આ એક એવી સારવાર છે જેમાં કેટલીક હર્બલ હર્બ્સના મિશ્રણથી આંખોને શેક કરવામાં આવે છે.
આ રીતે કરી શકાય છે ઘરે જ ઉપચાર
આયુર્વેદિક ડોક્ટર એટલે કે, વૈદ્યએ જણાવ્યું કે 1 ચમચી ત્રિફળા પાવડરને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. તેને ધીમી આંચ પર શેકવા દો. જ્યારે પાણી અને પાવડરનું મિશ્રણ ચોથા ભાગનું થઈ જાય, ત્યારે તેને ઉતારી લો અને તેને રુમ ટેમ્પ્રેચર સુધી ઠંડુ થવા દો. ત્યાર બાદ આ મિશ્રણને ગાળીને કોટન દ્વારા દિવસમાં બેથી ત્રણ વખત આંખો પર રાખો. આ પદ્ધતિ આઇ-ફ્લૂ માટે સૌથી અસરકારક છે.
આંખોમાં જોવાથી નથી થતો આઇ-ફ્લૂ
આંખના ફ્લૂ વિશે એક ગેરસમજ ઘણીવાર જોવા મળે છે, જો કોઈ વ્યક્તિને આંખનો ફ્લૂ થયો હોય તો લોકો તેની આંખોમાં જોવાનું ટાળે છે કારણ કે તેઓ વિચારે છે કે પીડિત દર્દીની આંખોમાં જોવાથી તેમનામાં આંખનો ફ્લૂનો ચેપ ફેલાશે. પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે, કારણ કે આંખનો ફ્લૂ આંખોમાં જોવાથી ફેલાતો નથી.
વૈદ્યે જણાવ્યું કે, આંખનો ફ્લૂ કોઈના સ્પર્શથી કે તેના સંપર્કમાં આવવાથી ફેલાય છે, આ પ્રકારનો ચેપ માત્ર પીડિત દર્દીના સ્પર્શથી જ ફેલાય છે. તેનાથી બચવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે, તેની સેલ્ફ ટ્રીટમેન્ટનો સમય 3 થી 5 દિવસનો છે. જો આ સમયમાં સાવચેતી રાખવામાં આવે તો તે પણ જાતે જ ઠીક થઈ જાય છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ