બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Kinjari
Last Updated: 03:05 PM, 11 January 2022
મેગા ઓક્શન પહેલા રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ટીમે હાર્દિક પંડ્યાને રિટેન કર્યો નહોતો.
પંડ્યાને લઇને મોટા સમાચાર
અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા, જે બરોડા, ગુજરાતનો વતની છે, તે હવે અમદાવાદ ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન બનશે, જે CVC કેપિટલ્સની માલિકીની છે. ફ્રેન્ચાઈઝી તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સિઝનમાં અમદાવાદની ફ્રેન્ચાઈઝીની કપ્તાની કરે તેવી શક્યતા છે.
આ ટીમની કેપ્ટનશીપ કરી શકે છે
એવા પણ અહેવાલો છે કે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરા અમદાવાદ ફ્રેન્ચાઇઝીના મુખ્ય કોચનું પદ સંભાળે તેવી શક્યતા છે. વર્ષ 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા આશિષ નેહરાએ અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે તેમના સહાયક કોચ તરીકે કામ કર્યું છે.
રાશિદ ખાન અને ઈશાન કિશન પણ જોવા મળ્યા
અમદાવાદ ફ્રેન્ચાઈઝી અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર રાશિદ ખાન અને મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ વિકેટ-કીપર બેટ્સમેન ઈશાન કિશનને પણ સાઈન કરવા માંગે છે. CVC એ બે કંપનીઓમાંથી એક હતી જેણે આગામી સિઝનથી IPLમાં રમાનારી બે નવી ફ્રેન્ચાઈઝી માટે બિડ જીતી હતી.
BCCI તરફથી પત્ર મળવામાં વિલંબ
બીસીસીઆઈ તરફથી સીવીસીને પત્ર મેળવવામાં વિલંબ થયો હતો કારણ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં દુબઈમાં યોજાયેલી હરાજીમાં અમદાવાદની ફ્રેન્ચાઈઝી જીત્યા બાદ કંપની બેટિંગ કંપનીઓ સાથે કથિત જોડાણો માટે તપાસ હેઠળ આવી હતી. BCCI દ્વારા નવી ટીમોને આ મહિનાના અંત સુધીનો સમય આપવામાં આવ્યો છે કે તેઓ હરાજી પહેલા તેમની પસંદગીના ત્રણ ખેલાડીઓને પસંદ કરી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT