બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / શિક્ષિત બેરોજગારો માટે ખુશખબર: ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની બમ્પર ભરતી જાહેર

ભરતી / શિક્ષિત બેરોજગારો માટે ખુશખબર: ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની બમ્પર ભરતી જાહેર

Pravin Joshi

Last Updated: 06:38 PM, 4 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ ધોરણ 1 થી 5 માટે 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે 15 એપ્રિલ 2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જે 24 એપ્રિલ સુધી ચાલશે. TET-1 પાસ ઉમેદવારો આમાં અરજી કરી શકશે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ ધોરણ 1 થી 5 માટે 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે 15 એપ્રિલ 2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જે 24 એપ્રિલ સુધી ચાલશે. TET-1 પાસ ઉમેદવારો આમાં અરજી કરી શકશે. પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ 26,000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. આ ભરતીમાં દિવ્યાંગો માટે 4 ટકા અનામત અને અગાઉની ભરતીની બાકી રહેલી જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

TEACHER-1

શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ અભિયાન હેઠળ કુલ 11,000 જેટલી જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. આ ભરતી મુખ્યત્વે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, આ ભરતીમાં માત્ર નવી જગ્યાઓ જ નહીં, પરંતુ અગાઉની ભરતીઓમાં જે જગ્યાઓ ખાલી રહી ગઈ હતી તેને પણ આવરી લેવામાં આવી છે. સરકારના નિયમો મુજબ કુલ જગ્યાઓમાંથી ૪ ટકા બેઠકો દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે, જે સામાજિક ન્યાયની દિશામાં એક મોટું કદમ છે.

gov teacher aaa

અરજી પ્રક્રિયા અંગેની વિગતો આપતા સમિતિએ જણાવ્યું છે કે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ dpegujarat.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન 15 એપ્રિલ 2026 થી શરૂ થશે. ફોર્મ ભરવાની, ફી જમા કરાવવાની અને અરજીની હાર્ડકોપી જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૪ એપ્રિલ ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી લોગિન આઈડી મેળવવાનું રહેશે અને ત્યારબાદ શૈક્ષણિક દસ્તાવેજો અપલોડ કરીને પોતાની અરજી સબમિટ કરવાની રહેશે. ભવિષ્યના સંદર્ભ માટે અરજીની પ્રિન્ટઆઉટ લેવી ફરજિયાત છે.

લાયકાત અને વયમર્યાદાના માપદંડો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે ફરજિયાતપણે TET-1 (Teacher Eligibility Test) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે D.El.Ed. (ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન) અથવા તેની સમકક્ષ માન્ય શૈક્ષણિક લાયકાત હોવી અનિવાર્ય છે. જે વિદ્યાર્થીઓ અત્યારે D.El.Ed. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ પણ આ ભરતી માટે લાયક ગણાશે. વયમર્યાદાની વાત કરીએ તો, લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 33 વર્ષ રાખવામાં આવી છે, જોકે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ યુદ્ધની નવી રણનીતિ! તેલ બાદ હવે પાણી અને ગેસના પ્લાન્ટ્સ પર ઈરાનનો પ્રચંડ વાર

પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા વિશે માહિતી આપતા નોટિફિકેશનમાં જણાવાયું છે કે, પસંદ થયેલા વિદ્યાસહાયકોને પ્રથમ 5 વર્ષના કરાર આધારિત સમયગાળા દરમિયાન દર મહિને 26,000 રૂપિયા ફિક્સ પગાર મળશે. 5 વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, તેઓને પે-લેવલ 7 મુજબ 25,500 થી 81,100 રૂપિયાના સ્કેલમાં કાયમી નિમણૂક આપવામાં આવશે. પસંદગી સંપૂર્ણપણે મેરિટ લિસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જિલ્લા ફાળવણીના આધારે કરવામાં આવશે. પરીક્ષાના અભ્યાસક્રમમાં બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vidhyasahayak2026 TeacherRecruitment GujaratJobs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ