બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વિવાદોના અંતે રાજકોટના જંગલેશ્વરમાં મનપાનું 'ઓપરેશન ડિમોલિશન', 1400થી વધુ મકાનો થશે જમીનદોસ્ત
Last Updated: 11:42 AM, 23 February 2026
Rajkot Jungleshwar Demolition : રાજકોટમાં હાલ મોટાપાયે દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. વાસ્તવમાં રાજકોટ શહેરમાં આજે એક ઐતિહાસિક કાર્યવાહી શરૂ થઈ છે. જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી શહેરના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
1400થી વધુ મકાનો થશે જમીનદોસ્ત
ADVERTISEMENT
આજી નદીના કાંઠે વર્ષોથી ઉભા રહેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવા તંત્રએ અંતિમ નિર્ણય લીધો છે. અંદાજે 1400થી વધુ મકાનો પર બુલડોઝર ફરશે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ આશરે 93 હજાર ચોરસ મીટર સરકારી જમીન ખાલી થશે. મનપાએ સમગ્ર વિસ્તારમાં 7 ઝોન બનાવી અલગ-અલગ ટીમો તૈનાત કરી છે, જેથી કામગીરી ઝડપથી અને સુચારુ રીતે પૂર્ણ થઈ શકે.
ADVERTISEMENT
ભવ્ય સુરક્ષા બંદોબસ્ત
ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ લાઠી અને હથિયાર સાથે ખડેપગે છે. જરૂર પડે તો લાઠીચાર્જ કે અન્ય પગલાં માટે મેજિસ્ટ્રેટની નિમણૂક પણ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર નજર રાખી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કોઈ અફવા ન ફેલાય તે માટે પણ ખાસ ટીમ સક્રિય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વિશાળ મશીનરી અને તંત્રની તૈયારી
આ કામગીરી માટે 100 JCB, 84 ટ્રેક્ટર, 7 હિટાચી મશીનો, 42 ગેસ કટર અને 14થી વધુ ડમ્પરનો કાફલો કામે લગાડવામાં આવ્યો છે. સાથે જ ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના આશરે 1100થી વધુ કર્મચારીઓ કાર્યવાહી માં જોડાયા છે. કામગીરી એકથી બે દિવસ સુધી ચાલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ, અગાઉથી નોટિસ આપવામાં આવ્યા બાદ ઘણા લોકોએ પોતે જ ગેરકાયદે બાંધકામ દૂર કરી દીધા છે. બાકી રહેલા માળખાઓ સામે હવે સત્તાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.