બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નિકોલમાં જાહેરસભા, તો વડનગર-બેચરાજીમાં પણ આપશે હાજરી, પ્રવાસને લઈ તંત્રની તૈયારીઓ શરૂ
Last Updated: 08:40 AM, 16 August 2025
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનાના અંતે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી શકે છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી 24 અને 25 ઓગસ્ટે રાજ્યની મુલાકાત લેશે. તેમના કાર્યક્રમને લઈ રાજ્યના તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ મળી ચૂકી છે.
ADVERTISEMENT

પ્રધાનમંત્રીએ તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં મોટી જાહેરસભાને સંબોધન કરવાનું અનુમાન છે. આ જાહેરસભા ખાસ કરીને આગામી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીઓને ધ્યાને લઈ યોજાઇ રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ, ડિસેમ્બર 2025 અથવા જાન્યુઆરી 2026માં AMCની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે, જેથી પૂર્વ અમદાવાદ વિસ્તાર જેવી કે નરોડા, ઠક્કરબાપાનગર, નિકોલ અને દસ્કોઈ જેવી વિધાનસભાઓમાં અસર પડે તેવી શક્યતા છે.
ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની નિકોલમાં યોજાનારી જાહેરસભા આ વિસ્તારમાં ભાજપના મજબૂત સંકેતો પૂરાં પાડશે અને સ્થાનિક નેતાઓ માટે ચૂંટણી પૂર્વ સંકેતો રૂપે કાર્ય કરશે. ભાજપ આ વિસ્તારોમાં ફરીથી પોતાનું આધાર મજબૂત બનાવવાના પ્રયત્નોમાં છે અને પીએમની હાજરી ચૂંટણી સમીકરણોને નવો વળાંક આપી શકે છે. આ ઉપરાંત પીએમ મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન બેચરાજી અને વડનગરની મુલાકાત પણ લેશે. બેચરાજી પાસે સુઝુકી મોટર્સના નવા બેટરી સંચાલિત વાહનના ઉત્પાદન યુનિટનું ઉદ્ઘાટન કરવાની પણ શક્યતા છે. દેશના ઈલેક્ટ્રિક વાહનક્ષેત્રમાં ગતિશીલતાને ધ્યાને રાખીને આ પગલું મહત્વપૂર્ણ બની રહે છે.
ADVERTISEMENT

વડનગર ખાતે પીએમ મોદી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનું પણ ઉદ્ઘાટન કરી શકે છે. અંદાજે રૂ. 17 કરોડના ખર્ચે તૈયાર થતી આ સુવિધા વડનગર રેલવે સ્ટેશનને શહેરના મહત્વના પર્યટન સ્થળો સાથે જોડશે. યાત્રિકો માટે પાર્કિંગ, વિશ્રામગૃહ, કાફેટેરિયા સહિતની આધુનિક સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ દૃષ્ટિકોણનો એક ભાગ છે, જેમાં તેમના વતન વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને વધારવાનો પ્રયાસ કરાયો છે. આ હબથી પ્રવાસીઓને વધુ સારી માર્ગસુવિધા અને સરળ પહોંચ મળશે, જે વડનગરને આંતરરાષ્ટ્રીય પર્યટન નકશા પર વધુ ઉંચો લાવશે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: સાતમ-આઠમ પર ધણીધણી ઉઠ્યું ગુજરાત, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
હાલ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો વચ્ચે પ્રવાસને લઈ સંકલન થઈ રહ્યું છે. સુરક્ષા વ્યવસ્થાઓ, યાતાયાત વ્યવસ્થાપન અને જાહેર સભાના સ્થળની તૈયારી અંગે તંત્ર ચુસ્ત રીતે કાર્યરત છે. છેલ્લે પીએમ મોદી મે 2025માં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જ્યારે તેમણે ઓપરેશન સિંદૂર બાદ ભુજ, દાહોદ, ગાંધીનગર અને વડોદરાની મુલાકાત લીધી હતી. આગામી ઓગસ્ટની મુલાકાત પણ રાજકીય તેમજ વિકાસાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.