બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાઠ્યપુસ્તકોની અછત, વાલીઓ, વિદ્યાર્થીઓ ચિંતામાં, આ રીતે ભણશે ગુજરાત ?
Last Updated: 09:20 PM, 8 June 2025
આવતીકાલથી શૈક્ષણિક સત્ર શરુ થઈ રહ્યું છે ત્યારે બાળકો ભણી શકે તેટલા પણ પુસ્તકો અમદાવાદની બજારમાં ન આવ્યા હોવાના સમાાચાર મળી રહ્યા છે. ઘોરણ 11-12 કોમર્સના અંગ્રેજી માઘ્યમના પુસ્તકો જ નથી.
ADVERTISEMENT

પુસ્તકોની અછત, હજુ પુસ્તકો આવતા 10થી 15 દિવસ લાગશે!
ADVERTISEMENT
ઘોરણ 8 ગુજરાતી માઘ્યમના સંસ્કૃત, હિન્દી, અંગ્રેજીના પણ પુસ્તકો નથી. અંગ્રેજી માઘ્યમમાં ઘોરણ 4,5,7,8ના ગુજરાતી વિષયના પુસ્તકોની પણ ઘટ જોવા મળી છે. હજુ પુસ્તકો આવતા 10થી 15 દિવસ લાગશે તેવુ વેપારીઓ કહી રહ્યા છે ત્યારે હવે બાળકો ભણશે કેવી રીતે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: શંખેશ્વરના પરિવારે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂકાવ્યું, મજબૂરીમાં પતિ-પત્ની, પુત્રએ ભર્યું અંતિમ પગલું
પુસ્તકોની અછતથી વાલીઓ,વિદ્યાર્થીઓ ચિંતામાં
ADVERTISEMENT
બજારમાં પાઠ્ય પુસ્તકની સખત અછત વર્તાઇ રહી છે, અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આવેલ સ્ટેશનરીની દુકાનોમાં તો પાઠ્ય પુસ્તકો નથી જ પરંતુ મુખ્ય બજાર એવા ચોપડા બજારમાં પણ પુસ્તકો આવ્યા નથી, ત્યારે હવે તો વેપારીઓ પણ પુસ્તકોની ઘટ ને લઇને બુમ પાડી રહ્યા છે જ્યારે વાલીઓ પણ પુસ્તક ના મળતા હેરાન પરેશાન થઇ રહ્યા છે જ્યારે બાળકો પણ માનસિક રીતે હેરાન પરેશાન થઇ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.