મહત્વનો નિર્ણય /
ધો. 9 અને 11ના વર્ગોને પણ શરૂ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય, આ તારીખથી કરાશે ચાલુ
Team VTV12:18 PM, 27 Jan 21
| Updated: 03:35 PM, 27 Jan 21
ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ 9 અન 11ના વર્ગો શરુ કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 1 ફેબ્રુઆરીથી શિક્ષણકાર્ય શરુ કરાશે.
શાળા શરૂ કરવાને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય
ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાનો રાજ્ય સરકારે લીધો નિર્ણય
1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરાશે
ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 અને 11 વર્ગો શરુ કરવાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરુ કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11ના વર્ગો શરુ કરવાને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે ત્યારે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી માટે વાલીઓની સમહતી જરુરી છે.
ટયુશન કલાસીસ ચાલુ કરવાને લઇને સરકારની મંજૂરી
આ સાથે 1 ફેબ્રુઆરીથી ટયુશન કલાસીસ પણ શરુ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જો કે 8 જાન્યુઆરીએ શિક્ષણવિભાગે જાહેર કરેલી SOPનું પાલન ફરજિયાત કરવું પડશે. સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇન મુજબ ટયુશન કલાસીસ શરુ કરવા મંજૂરી આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા કોલેજના FY, SYના વર્ગો શરુ કરવાને લઇને આગામી ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આ સાથે રાજ્યમાં હોસ્ટેલ શરુ કરવાને લઇને પણ આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે છેલ્લી તક
ગુજરાતમાં ધોરણ 9 થી 12માં પ્રવેશથી વંચિત તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12માં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સૂચન કર્યું છે.
આમ હાલ પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે છેલ્લી તક સમાન ગણવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધીમાં પ્રવેશ આપવા સુચનો કરાયાં છે. અત્યાર સુધી અલગ-અલગ 4 પ્રવેશ મુદ્દો લંબાવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12માં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સૂચન કર્યું છે. આમ હાલ પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે છેલ્લી તક સમાન ગણવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ધોરણ 9 થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સૂચન કરવામાં આવ્યું છે.