બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટીદાર, ઠાકોર, કોળીની થશે મંત્રીમંડળમાં એન્ટ્રી! સૌરાષ્ટ્ર-કચ્છમાંથી જોવા મળી શકે છે નવા ચહેરા
Last Updated: 10:42 AM, 16 October 2025
Gujarat cabinet expansion : ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. દિવાળી પહેલા સરકારમાં ઘણા નવા ચહેરા જોવા મળશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિને લઈને તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઈને સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, જેમાં આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબરે 11.30 કલાકે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે. આજ સાંજ સુધીમાં અનેક મંત્રીઓ રાજીનામાં આપી દેશે. આ વખતે નવા મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવા મંત્રીમંડળમાં 20 થી 22 સભ્યોનો સમાવેશ થઈ શકે છે.વર્તમાન મંત્રીઓ સાથે નવા મંત્રીઓનો સમાવેશ થશે. મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી યથાવત રહી શકે છે. નવા મંત્રીમંડળમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી નવા સભ્યોનો સમાવેશ થઈ શકે છે.
ADVERTISEMENT
સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થવાનો છે, ત્યારે મંત્રી મંડળમાં 4 લેઉવા અને 2 કડવા પટેલને તો 2 ST અને 2 SC ચહેરાને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત 4 ઠાકોર-કોળી, 1 બ્રાહ્મણનો સમાવેશ થઈ શકે છે. એટલું જ નહીં પણ નવા મંત્રીમંડળમાં 2 ક્ષત્રિય ચહેરાઓ પણ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
દિવાળી પહેલા મોટો ફટાકડો ફૂટશે? મોટા પાયે થઈ શકે ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર, શપથ સમારોહમાં કેન્દ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ, ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આપશે હાજરી | VTV Digital #Gujarat #Gandhinagar #amitshah… pic.twitter.com/CKKBObiQ1L
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 16, 2025
ADVERTISEMENT
શપથગ્રહણ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ચુકી છે. મોટા ભાગના ધારાસભ્યો આજ બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી ચુકવાના છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી દ્વારા તમામ ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
વધુ વાંચો : ચર્ચાઓનો અંત! મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે CMને લઈને આવી મોટી અપડેટ
મંત્રી મંડળના વિસ્તારણની ચર્ચાઓ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત આવવા માટે રવાના થઇ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આવતીકાલે ગુજરાત આવે તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવે તેવી શકયતા છે. જે. પી. નડ્ડા અને અમિત શાહ 17મી ઓક્ટોમ્બર શુક્રવારના રોજ ગુજરાત આવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.