બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચર્ચાઓનો અંત! મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે CMને લઈને આવી મોટી અપડેટ
Gujarat News : છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના નવા મંત્રી મંડળને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે, નવા કેબિનેટમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે સીએમને લઈને સૂત્રો પાસેથી મહત્વની મોટી અપડેટ સામે આવી છે.
ADVERTISEMENT
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબર મહાત્મા મંદીર ખાતે સવારે 11 કલાકે નવા મંત્રીઓની શપથ વિધિ યોજાઈ શકે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથ લેવડાવશે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેશે. જો કે હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવા મંત્રી મંડળની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા તમામ ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ભાજપ સંગઠનનાં તમામ નેતાઓ અને તમામ ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા માટે આદેશ આપી દેવાયો છે. જેના પગલે હવે ગમે ત્યારે નવા મંત્રી મંડળનો ગંજીફો ચિપાય તેવી શક્યતા છે.
વધુ વાંચો : નવું મંત્રીમંડળ : દિગ્ગજ કોંગ્રેસીને સ્થાન, 3 યુવા ધારાસભ્યોને તક, હર્ષ સંઘવીને મળી શકે પ્રમોશન
ADVERTISEMENT
મંત્રી મંડળના વિસ્તારણની ચર્ચાઓ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત આવવા માટે રવાના થઇ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આવતીકાલે ગુજરાત આવે તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવે તેવી શકયતા છે. જે. પી. નડ્ડા અને અમિત શાહ 17મી ઓક્ટોમ્બર શુક્રવારના રોજ ગુજરાત આવી શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.