બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Dinesh
Last Updated: 10:22 PM, 5 March 2024
ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સરકાર દ્વારા સરકારી કર્મીઓ અને સરકારના ઉપયોગ માટે બિલ્ડીંગો બનાવેલી છે. પરંતુ જેમાંથી 20 હજાર જેટલી બિલ્ડીંગો જર્જરીત હાલતમાં હોવાની વિગતો સામે આવી છે. સરકારના વિવિધ વિભાગોની આ બિલ્ડીંગો પૈકી કેટલીને જમીનદોસ્ત કરવી અને કેટલીને રિનોવેશ કરાવવી તેનો નિર્ણય સરકાર લેશે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે, એક જર્જરીત બિલ્ડીંગોની કિંમત એક કરોડ ગણીએ તો પણ 20 હજાર કરોડનો આંકડો પહોંચી જાય છે.
20 હજાર જેટલી બિલ્ડીંગો જર્જરીત ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના ધ્યાન પર આવ્યુ હતુ કે, રાજ્યની અલગ અલગ જગ્યાએ અનેક સરકારી બિલ્ડીંગો ખખડધજ હાલતમા છે. મોટાભાગની ઈમારતોનો કોઈ જ ઉપયોગ થતો નથી. ત્યારે મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે પણ આ સંદર્ભે ચર્ચા કરી હતી. પરંતુ કેબિનેટની બેઠકમાં આ મુદ્દાને ગંભીરતાથી ન લેવાયો હોય તેવું લાગ્યું છે. અધિકારીઓને સૂચના આપી હતી કે, સરકારના કયા કયા વિભાગના કેટલા બિલ્ડીંગો વણવપરાયેલા અને ખખડધજ હાલતમાં છે તેની યાદી તૈયાર કરી તેનો રિપોર્ટ આપો. ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં આવા બિલ્ડીંગોના સંદર્ભમાં સર્વે કર્યો હતો અને યાદી પણ તૈયાર કરાઈ હતી. જે સરકારને સોંપી પણ દેવાઈ છે.
વાંચવા જેવું: 'તમે અમારી ફરિયાદ કરી પથારી ફેરવી, હવે નહીં ચાલે પૈસા આપો', આયુષ્માન કાર્ડમાં વહીવટદારોનો ખેલ
સરકારી સંપત્તિનો સદ્ઉપયોગ થશે !
હવે આગામી સમયમાં જે તે વિભાગના અધિકારીઓ મંત્રીઓ સાથે સંકલન કરીને વણ ઉપયોગી બિલ્ડીંગોનુ શું કરવુ તે નક્કી કરશે. જો કે, જે તે વિભાગના મંત્રી તેમજ અધિકારીઓ પણ આ સંદર્ભમાં મુખ્યમંત્રીનુ માર્ગદર્શન લઈને આગળ વધશે. સચિવાલયમાં ચર્ચા છે કે, મુખ્યમંત્રીએ વણવપરાયેલા બિલ્ડીંગોની યાદી તૈયારી કરાવીને ખરેખર ખુબ જ સારુ કામ કર્યુ છે. જો કે, કેટલીક જમીનો પર અસામાજીક તત્વો અડ્ડા બની ગયો હોવાની પણ ચર્ચા છે. પરંતુ હવે સરકારની અબજો રૂપિયાની આ સંપતિનો સદઉપયોગ થશે તેવી આશા જાગી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ