બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આવતીકાલે શપથવિધિ બાદ સાંજે કેબિનેટ બેઠક! નવા મંત્રીઓને થશે ખાતાની ફાળવણી
Gujarat cabinet expansion : ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેનું ચિત્ર આવતીકાલે 17 ઓક્ટોબર 2025ના રોજ સ્પષ્ટ થઈ જશે. નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ કેબિનેટ બેઠક પણ મળે તેવી સંભાવના છે.
ADVERTISEMENT
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે. નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને કેટલાક ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ચૂક્યા છે, જેમાં શપથ માટે આવતીકાલે તૈયાર રહેવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં સ્થાન અપાયું હોવાની પણ માહિતી આપી હોવાનું કહેવાય રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાયા બાદ જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવી કેબિનેટની બેઠક મળી શકે છે. આ ઉપરાંત કેબિનેટ બઠકમાં જ મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ શકે છે. ખાતાની ફાળવણી બાદ મોટાભાગના નવા મંત્રીઓ ધનતેરસના શુભ દિવસે જ પોતપોતાના વિભાગોનો ચાર્જ સંભાળી લે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
રાજ્યમાં આ બે દિવસમાં જ મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. અનેક મંત્રીઓના પત્તા કપાઈ શકે છે તો નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે. ગુજરાતના રાજકારણ માટે આવતીકાલનો દિવસ નવી દિશા આપનારો છે. આવતીકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં 11.30 કલાકે શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર ધારાસભ્યો આવતીકાલે મંત્રીપદ અને ગુપ્તતાના શપથ લેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થવાનો છે, ત્યારે મંત્રી મંડળમાં 4 લેઉવા અને 2 કડવા પટેલને તો 2 ST અને 2 SC ચહેરાને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત 4 ઠાકોર-કોળી, 1 બ્રાહ્મણનો સમાવેશ થઈ શકે છે. એટલું જ નહીં પણ નવા મંત્રીમંડળમાં 2 ક્ષત્રિય ચહેરાઓ પણ જોવા મળી શકે છે.
વધુ વાંચો : પાટીદાર, ઠાકોર, કોળીની થશે મંત્રીમંડળમાં એન્ટ્રી! સૌરાષ્ટ્ર-કચ્છમાંથી જોવા મળી શકે છે નવા ચહેરા
મંત્રી મંડળના વિસ્તારણની ચર્ચાઓ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત આવવા માટે રવાના થઇ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આવતીકાલે ગુજરાત આવે તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવે તેવી શકયતા છે. જે. પી. નડ્ડા અને અમિત શાહ 17મી ઓક્ટોમ્બર શુક્રવારના રોજ ગુજરાત આવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.