બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાંકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ફૂટબોલ મેચ સિવાય તમામ કાર્યક્રમોનું આયોજન
Last Updated: 03:02 PM, 15 June 2026
Kankaria Football Ground : મણિનગર નજીક આવેલું ‘કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ’ શહેરના મોટા ભાગના લોકો માટે જાણીતું સ્થળ છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે, આ મેદાનને ‘ફૂટબોલ ગ્રાઉન્ડ’ નામ કેવી રીતે મળ્યું તેની ચોક્કસ માહિતી કોઈ પાસે નથી એટલું જ નહીં, સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી અહીં ફૂટબોલની મેચો રમાતી જોવા મળી નથી. આજે આ મેદાન ફૂટબોલ કરતાં વધુ ગરબા મહોત્સવો, રાજકીય સભાઓ અને વિવિધ જાહેર કાર્યક્રમો માટે ઓળખાય છે.
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, મેદાન AMCની માલિકીનું છે અને નવરાત્રી સહિતના વિવિધ કાર્યક્રમો માટે ભાડે આપવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ વર્ષો પહેલાં અહીં સ્થાનિક સ્તરે ફૂટબોલ રમાતી હોવાથી કદાચ આ નામ પડ્યું હશે, જોકે તેની સત્તાવાર નોંધ ઉપલબ્ધ નથી.
આ વિસ્તારના અનેક યુવાનો કહે છે કે, તેમણે ક્યારેય આ મેદાનમાં ફૂટબોલ રમાતી જોઈ નથી. હાલમાં અહીં એકસાથે અનેક ટીમો ક્રિકેટ રમતી જોવા મળે છે. મણિનગરના રહેવાસી સયુજ થિયાએ જણાવ્યું કે, વિસ્તારમાં તમામ સુવિધાઓ ધરાવતું જાહેર ફૂટબોલ મેદાન હોવું જોઈએ. આ મેદાનમાં તો ગોલપોસ્ટ પણ નથી, જોકે ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા સામે ફૂટબોલ પસંદ કરનારા યુવાનોની સંખ્યા હજુ ઓછી છે.
ADVERTISEMENT

ફૂટબોલ પ્રત્યે રસ ધરાવતા અન્ય એક યુવાને જણાવ્યું કે, તે મણિનગરના ટ્રાન્સસ્ટેડિયામાં ખાનગી ફૂટબોલ એકેડેમીમાં તાલીમ લઈ રહ્યો છે. તેના મત મુજબ ફૂટબોલ વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ્સના કારણે વધુ યુવાનો આ રમત તરફ આકર્ષાઈ શકે છે.
ADVERTISEMENT
વર્ષ 2025માં આ મેદાન ફૂટબોલના કારણે નહીં, પરંતુ ભાડા સંબંધિત વિવાદના લીધે ચર્ચામાં આવ્યું હતું. AMCમાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે નવરાત્રી માટે મેદાનો ભાડે આપવાની નીતિમાં ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. એક સંસ્થા પાસેથી 10 દિવસના ગરબા આયોજન માટે રૂ. 16.16 લાખ ભાડું લેવામાં આવ્યું હતું, જ્યારે બીજી સંસ્થાને એ જ સમયગાળા માટે માત્ર રૂ. 2 લાખમાં મેદાન ફાળવવામાં આવ્યું હતું. બેઝ રેન્ટ રૂ. 10.42 લાખ નક્કી હોવા છતાં ઓછા ભાડે ફાળવણી થતાં વિવાદ સર્જાયો હતો.
આ પણ વાંચો : ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ ખેંચાયો, સેટેલાઈટ તસવીરોમાંથી ચોમાસાના વાદળો ગાયબ
ADVERTISEMENT
રમતગમતની સુવિધાઓ વધારવા પર તંત્રનો વિશેષ ભાર
શહેરમાં રમતગમતની સુવિધાઓ વધારવા માટે AMCએ રૂ. 58 કરોડના ખર્ચે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવ્યું છે. આશરે 43,890 ચોરસ મીટરમાં ફેલાયેલા આ સંકુલમાં આંતરરાષ્ટ્રીય ધોરણનું ફૂટબોલ મેદાન, કુદરતી ઘાસ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, 2023માં AMCએ અમદાવાદના 245 પ્લોટને રમતગમત માટેનાં મેદાન તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો હતો. પાણી સહિતની સુવિધાઓ સાથે તૈયાર થનારાં આ મેદાનોમાં ક્રિકેટ, વોલીબોલ અને ફૂટબોલ જેવી રમતો માટે જગ્યા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે, તેમાં 5,000 ચોરસ મીટરથી મોટા 53 અને નાના 192 પ્લોટનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.