બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Government affidavit in Gujarat High Court regarding the status of bridges in the state
Dinesh
Last Updated: 09:53 PM, 3 March 2023
રાજ્યમાં બ્રિજની સ્થિતિને લઇને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કરાયું છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા એફિડેવિટમાં જણાવ્યું છે કે, રાજ્યમાં 23 બ્રિજની હાલત ખુબ ખરાબ છે, જ્યારે રાજ્યના 63 બ્રિજને સમારકામની જરૂર છે.
બ્રિજની સ્થિતિને લઇને રાજ્ય સરકારનું હાઇકોર્ટમાં એફિડેવિટ
રાજ્ય સરકારે આ એફિડેવિટમાં જણાવ્યું છે કે, 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે. અમદાવાદના 12, સુરતના 13 બ્રિજને સમારકામની જરૂર છે. વડોદરાના 4, રાજકોટ 1 અને જૂનાગઢના 7 બ્રિજને સમારકામની જરૂર છે. મોરબી પૂલ દુર્ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટે વિગતો માગી હતી. અત્રે ઉલ્લખેનીય છે કે, ગાંધીનગરમાં બનેલા બ્રિજને રિપેરિંગની કોઈ જરૂર ન હોવાનું પણ જણાવ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
મોરબી બ્રિજની સ્થિતિ અંગે જવાબ રજૂ કરાયો હતો
અગાઉ મોરબી બ્રિજની સ્થિતિ અંગેનો જવાબ રજૂ કર્યો હતો તે દરિમયાન સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છ તે સરકાર યુદ્ધના ધોરણે કામ કરાવે. તે સમય દરમિયાન સરકારે ઘટસ્ફોટ કર્યો હતો કે, શહેરી વિસ્તારમાં જો કોઈ પુલ તૂટે કો તેનો જવાબદાર કોણ? તે અંગે ચોક્કસ નહી પરંતું સરકાર તેની નીતિ ટૂંકસમયમાં લાવશે.
29 બ્રિજનું મારમત કામ ચાલી રહ્યું છે
અર્બન ડેવલપમેન્ટ વિભાગ હેઠળ આવતા 63 બ્રિજની મારમતની જરૂર છે. જેમાં 16 બ્રિજ નગરપાલિકા અને 47 બ્રિજ કોર્પોરેશનની હદમાં છે તેમજ 29 બ્રિજનું મારમત કામ ચાલી રહ્યું છે.33 બ્રિજનું કામ થઈ ગયું છે. તેમ સરકારે રજૂઆત કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ