બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:45 PM, 15 September 2023
ADVERTISEMENT
આ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ દરેક ઘરમાં વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. જો કે ઘણા લોકો દોઢ દિવસ, 5 દિવસ કે 7 દિવસ પછી ગણેશ વિસર્જન કરે છે. પરંતુ વાસ્તવમાં ગણેશ વિસર્જન 10 દિવસ પછી જ થાય છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગણેશ વિસર્જન માત્ર 10 દિવસ પછી જ કરવાનું ખાસ કારણ શું છે? જો નહીં, તો ચાલો તમને જણાવીએ કે, ગણેશ વિસર્જનનું મુખ્ય કારણ મહાભારત સાથે સંબંધિત છે.

ADVERTISEMENT
મહાભારતનું અનુલેખન કરવાની પ્રાર્થના
માન્યતાઓ અને પૌરાણિક કથાઓ અનુસાર ગણેશજીનો જન્મ ભદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. તેમજ કથાઓમાં ઉલ્લેખ છે કે ગણેશ ચતુર્થીના દિવસથી મહર્ષિ વેદ વ્યાસે ગણેશજીને મહાભારતની રચના માટે પ્રાર્થના કરી હતી. જેના જવાબમાં ગણેશજીએ કહ્યું કે જો તે લખવાનું શરૂ કરશે તો તે પેન બંધ નહીં કરે અને જો પેન બંધ થશે તો તે ત્યાં જ લખવાનું બંધ કરી દેશે. ત્યારે મહર્ષિ વેદ વ્યાસે કહ્યું કે પ્રભુ, તમે વિદ્વાનોમાં અગ્રગણ્ય છો અને હું એક સામાન્ય ઋષિ છું, જો મારા શ્લોકોમાં કોઈ ભૂલ હોય તો તમે તેને સુધારી લેજો અને તેનું અનુલેખન કરતા રહો. આ રીતે મહાભારતનું લેખન શરૂ થયું અને સતત 10 દિવસ સુધી ચાલ્યું.
ADVERTISEMENT

અનંત ચતુર્દશી પર લેખન કાર્ય પૂર્ણ
ADVERTISEMENT
અનંત ચતુર્દશીના દિવસે જ્યારે મહાભારત લખવાનું કાર્ય પૂર્ણ થયું ત્યારે ગણેશજીનું શરીર ધૂળ અને માટીથી ઢંકાયેલું હતું, ત્યારે ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને તેમના શરીરને સાફ કર્યું. તેથી ગણપતિ સ્થાનપના 10 દિવસ સુધી કરવામાં આવે છે અને પછી ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.