બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
vtvAdmin
Last Updated: 07:12 PM, 30 March 2019
જમ્મૂ-કશ્મીરમાં દિવસેને દિવસે આતંકીઓનો ત્રાસ વધી રહ્યો છે. દરરોજ જમ્મૂ-કશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે પણ જમ્મૂ-કશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ.
જમ્મૂ-કશ્મીરના કુલગામમાં આવેલા રેડવની વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થતા સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. આ અથડામણમાં સેનાના એક જવાન પણ શહીદ થયા છે.
અથડામણ બાદ સેનાએ કુલગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આશંકા છે કે વધુ આતંકીઓ છૂપાયા હોઈ શકે છે. જેથી સેના દ્વારા આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશન પણ હાથ ધરાયુ છે.
ઉલ્લેખનીય છે કે સેના દ્વારા હાલ ઘાટીમાં ઓલઆઉટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે ઘાટીમાં છૂપાયેલા આતંકીઓ છંછેડાયા છે. આજરોજ કુલગામના રેડવાની વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે સેનાએ સોમવારે ગાંદરબલ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં એક આતંકીની જગ્યાનો નાશ કરીને હથિયાર અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો હતો. સેનાને સૂચના મળી હતી કે આ વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હતા. ત્યારબાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT