બ્રેકિંગ ન્યુઝ
અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'
વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન
ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા
દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarka ferry boat service people travelling without life jacket
Priyakant
Last Updated: 11:45 AM, 19 January 2024
Dwarka Boat : એક તરફ વડોદરામાં થયેલી ઘટનાથી આખું ગુજરાત ગમગીન છે. 17 નિર્દોષ લોકોના નિધનને કારણે હજી ગુજરાતના આંસુ સુકાયા નથી, ત્યારે બીજી તરફ દ્વારકાથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે સવાલો ઉભા કરી રહ્યા છે. વડોદરાના હરણી તળાવમાં લાઈફ જેકેટ ન પહેર્યું હોવાને કારણે અને બોટ ઓવરલોડ હોવાને કારણે પલટી જવાથી કેટલાય ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. પરંતુ નાગરિકો તરીકે આપણે અને તંત્ર હજી સુધી તેમાંથી કોઈ શીખ નથી લઈ રહ્યું
દ્વારકાથી બેટ દ્વારકા જતી ફેરી બોટમાં હજી પણ લોકો લાઈફ જેકેટ વગર મુસાફરી કરી રહ્યા છે. વડોદરામાં તો તોય તળાવ હતું, પરંતુ દ્વારકાથી બેટ દ્વારકા જતા તો દરિયો પાર કરવાનો હોય છે, તેમ છતાંય લોકોને પોતાના જીવની પરવા જ ન હોય, તેમ તેઓ લાઈફ જેકેટ વગર મુસાફરી કરી રહ્યા છે. અહીં સવાલ એ છે કે શું લોકોને પોતાના જીવની પરવા નથી કે પછી તંત્ર હજીય બેજવાબદાર છે? શું બોટ સંચાલકો પાસે પૂરતા લાઈફ જેકેટ નથી? અને નથી તો પછી પૂરતી સુરક્ષાના અભાવે કેમ આ ફેરી સર્વિસ ચાલી રહી છે. ન કરે નારાયણ અને કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ?
ઉલ્લેખનીય છે કે જ્યારે આવી કોઈ પણ દુર્ઘટના બને ત્યારે તરત જ દ્વારકાની ફેરી બોટના દ્રશ્યો સામે આવતા હોય છે. ક્યારેક ઓવરલોડિંગ તો ક્યારેક પૂરતી સુરક્ષાના અભાવના સવાલો ઉઠે છે. પરંતુ, અંતે તો સ્થિતિ જેની તે જ રહે છે. મુસાફરો મોતની સવારી કરતા રહે છે અને બોટ સંચાલકો કમાણી કરતા રહે છે. લાગી રહ્યું છે કે જાણે આપણે હજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છીએ.
વડોદરામાં શું બન્યું?
વડોદરાના હરણી તળાવમાં સ્કૂલની પિકનિક પર આવેલા બાળકો ભરેલી બોટ પલટી ગઈ. બાળકોને લાઈફ જેકેટ પહેરાયા ન હોવાને કારણે 17 જેટલા બાળકો અને શિક્ષકોના મોત નીપજ્યા. બોટ ઓવરલોડ હોવાને કારણે પલટી ગઈ હોવાના પણ અહેવાલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ