બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Don't make the mistake of consuming these five things with tea, it can harm your health

હેલ્થ / ચા સાથે ભૂલથી પણ ન કરો આ પાંચ વસ્તુઓનું સેવન, સ્વાસ્થયને થઇ શકે છે નુકસાન

Published By: Vishal Dave

Last Updated: 10:16 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવાર ચા એકલી નથી પીવાતી પરંતુ તેની સાથે વિવિધ પ્રકારના નાસ્તા અને વાનગીઓ ખાવામાં આવે છે. જો ચા સાથે ન ખાવાની વસ્તુ ખાવામાં આવે તો તબિયત બગડતા વાર નથી લાગતી.

ચા એ ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ગમે તે ઋતુ હોય, ચા પ્રેમીઓ આ પીણું પીવાનું ટાળતા નથી. ગરમ ચા પીધા પછી એવું લાગે છે કે શરીરનો થાક દૂર થવા લાગ્યો છે અને માથાનો દુખાવો પણ દૂર થઈ રહ્યો છે. પરંતુ ઘણીવાર ચા એકલી નથી પીવાતી પરંતુ તેની સાથે વિવિધ પ્રકારના નાસ્તા અને વાનગીઓ ખાવામાં આવે છે. જો ચા સાથે ન ખાવાની વસ્તુ ખાવામાં આવે તો તબિયત બગડતા વાર નથી લાગતી. અહીં કેટલીક એવી ખાદ્ય ચીજોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જેનું ચા સાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે અથવા માથાનો દુખાવો થઈ શકે છે, ત્વચાની એલર્જી અથવા ઉલટી થઈ શકે છે.. 

ચા સાથે આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ -

દહીં- ચા સાથે ન ખાવી -પીવી જોઇએ તેવી વસ્તુઓમાં એક છે  દહીં..જો દહીં અથવા દહીંમાંથી બનેલી વસ્તુઓ ચા સાથે ખાવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. ચા ગરમ છે અને દહીંને ઠંડા ખોરાકમાં ગણવામાં આવે છે, તેથી ચા સાથે તેનું સેવન ન કરવું એ જ સમજદારી છે.

લીંબુ - લીંબુ નિચોવીને બનાવેલા નાસ્તા સાથે ઘણીવાર ચા પીવામાં આવે આવે છે. લીંબુના રસનું એસિડિક સ્તર ચા સાથે મળીને પેટમાં અસ્વસ્થતાનું કારણ બની શકે છે. આનાથી પેટનું ફૂલવું અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. 

ફ્રુટ સલાડ - જો કોઈ એવી વસ્તુ હોય જે ચા સાથે ક્યારેય ન ખાવી જોઈએ તો તે છે ફ્રુટ ટી અથવા ફ્રુટ સલાડ. ફળો અને ચાના મિશ્રણથી એસિડિટી થાય છે. સૂકા ફળો ચા સાથે નાસ્તા તરીકે ખાઈ શકાય છે, પરંતુ ચા સાથે તાજા ફળ ખાવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચોઃ ઉનાળામાં સવારે ઉઠીને પીવો આદુ-લીંબુનું પાણી, વજન ઘટાડવાની સાથે તમને થશે ઢગલાબંધ ફાયદા

લીલા શાકભાજી - લીલા શાકભાજીમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને ચામાં ટેનીન અને ઓક્સાલેટ હોય છે જે આયર્નને યોગ્ય રીતે શોષવા દેતા નથી. એટલા માટે લીલા શાકભાજી ચા સાથે ખાવામાં આવતા નથી.

હળદર - ઔષધીય ગુણોથી ભરપૂર હળદરનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ, જો હળદર કે હળદરમાંથી બનેલી વસ્તુઓ ચા સાથે ખાવામાં આવે અથવા પીવામાં આવે તો તેની શરીર પર નકારાત્મક અસર પડે છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે અને ચામાં ટેનીન હોય છે અને આ બંને વસ્તુઓ એકસાથે ગેસ્ટ્રિકની સમસ્યા પેદા કરે છે જેનાથી એસિડિટી અને કબજિયાત  થવાની શક્યતા વધી જાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Chai Consume Curd Food Green Vegetables Health Lemon Tea deteriorate eat Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ