બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
VTV / ધર્મ / dhanteras 2023 include steel iron objects and 5 things do not buy in dhanteras goddess lakshmi will turn away from house happiness and prosperity will go away
Dinesh
Last Updated: 03:33 PM, 6 November 2023
Dhanteras vastu tips: દિવાળીના પર્વ પર આવતો ધનતેરસનો શુભ તહેવાર આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે છે. જે દિવસે અમુક વસ્તુની ખરીદી કરવી ખૂબજ શુભ ગણાય છે. ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદીની તેમજ નવી ગાડીની ખરીદી કરતા હોય છે. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે તેવી પણ માન્યતા છે. ધનતેરસના શુભ દિવસે સોનું, ચાંદી અને કાંસાના વાસણો ખરીદવાથી આખું વર્ષ સમૃદ્ધિ આવે છે. તો બીજી તરફ ધનતેરસ પર કેટલીક વસ્તુઓ ખરીદવાનું ટાળવું પણ જોઈએ. એવી માન્યતા છે કે, કેટલીક વસ્તુઓ ખરીદવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને જેનાથી ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે. ચાલો જાણીએ કે, ધનતેરસના દિવસે શુ ન ખરીદવો જોઈએ
લોખંડની વસ્તુઓ
ધનતેરસ પર કેટલીક વસ્તુની ખરીદી કરવી સારી બાબત છે તો બીજી તરફ કેટલીક ખરીદી ન કરવી પણ હિતાવહ મનાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસ પર લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. જેનો સીધો સંબંધ રાહુ અને કેતુ સાથે છે. ધનતેરસના દિવસે લોખંડની વસ્તુઓ ઘરમાં લાવવાથી રાહુ ગ્રહની અશુભ છાયા પડી શકે છે.
કાચનો સમાન
ધનતેરસના દિવસે કાચના વાસણો કે અન્ય વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. કાચની વસ્તુંથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે. કાચની વસ્તુઓનો પણ સીધો સંબંધ રાહુ ગ્રહ જ સાથે છે.
સ્ટીલની વસ્તું ખરીદવાનું ટાળો
ધનતેરસના પર્વ પર વાસણો ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. પરંતુ સ્ટીલએ લોખંડનું બીજું સ્વરૂપ છે, જેથી કહેવાય છે કે ધનતેરસના દિવસે સ્ટીલના વાસણો પણ ન ખરીદવા જોઈએ. સ્ટીલને બદલે તાંબા કે કાંસાના વાસણો ખરીદી શકાય છે.
કાળા રંગની વસ્તુ
ધનતેરસના દિવસે કાળા રંગના કપડા અથવા અન્ય કોઈપણ વસ્તુઓ ખરીદવાનું અને તેને ઘરે લાવવાનું ટાળવું જોઈએ. કાળો રંગ હંમેશાથી દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે કાળા રંગના વસ્ત્રો પહેરો છો તો શનિદેવ તમારી કુંડળીમાં પ્રભુત્વ મેળવી શકે છે. જેના કારણ છે કે ધનતેરસ પર કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ