બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / cyclone amphan pm modi arrives in kolkata
Divyesh
Last Updated: 02:21 PM, 22 May 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યના ગર્વનર જગદીપ ધનકડ અને કેન્દ્રીય મંત્રીએ હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડાના અસગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં તેમણે પ.બંગાળની જનતાને સંબોધન કર્યુ હતું અને આ કુદરતી આફતની સામે બંગાળને ફરી ઊભું કરવા માટે કેન્દ્ર સરકારે રૂ.1000 કરોડની જાહેરાત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે બંગાળ હાલમાં લૉકડાઉન અને વાવાઝોડું એમ બંને આફતોનો સામનો કરી રહ્યો છે ત્યારે અહીંની પ્રજાએ જે રીતે સંયમ દેખાડ્યો છે તેની સરાહના કરું છું. તેમણે કહ્યું હતું કે પ.બંગાળની આ દુઃખની ઘડીમાં આખો દેશ તેમની સાથે છે. અને આશા રાખીએ છીએ કે જલ્દીથી પ.બંગાળ ફરીથી આ કુદરતી આફતમાંથી બહાર આવી જાય.
ઉલ્લેખનીય છે કે આજે સવાર સુધીમાં અમ્ફાન વાવાઝોડાના કારણે 80 લોકોના મોત નિપજ્યાં છે. રાજ્યમાં અંદાજે 1,00,000 કરોડના નુકસાનની ભીતિ છે.
#CycloneAmphan: For PM's aerial survey visit, Central ministers (who hail from Odisha and West Bengal) Dharmendra Pradhan, Babul Supriyo, Pratap Chandra Sarangi and Debasree Chaudhuri will accompany him. https://t.co/O62klrEQV2
— ANI (@ANI) May 22, 2020
આખો દેશ બંગાળની સાથે : PM મોદી
અમ્ફાનના વાવાઝોડામાં 80 લોકોએ જીવ ગુમાવ્યા એનું મને ખુબ દુઃખ છે અને દહેશત સામે લડવાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને લડી રહી છે. અમ્ફાને વેરેલી તારાજીમાંથી પશ્ચિમ બંગાળ ફરી ઉભું થશે અને વિકાસની નવી ઉંચાઈ પર પહોંચશે એનો મને વિશ્વાસ છે. મારા પશ્ચિમ બંગાળના ભાઈ-બહેનોને હું આશ્વસ્થ કરવા માંગુ છું, કે આ દુઃખની ઘડીમાં આખો દેશ તમારી સાથે ઉભો છે. અમ્ફાનની દહેશતને પહોંચી વળવા કેન્દ્ર સરકારની એક ટીમ નુકશાન અંગે ડિટેલ સર્વે કરશે.
મૃતકોને મદદની જાહેરાત
પીએમ મોદીએ 1000 કરોડના રાહત પેકેજની સાથે સાથે અમ્ફાન વાવાઝોડામાં મૃત્યુ પામેલાં લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની મદદ કરીશું અને ગંભીર ઈજાગ્રસ્તને 50 હજારની મદદની પણ જાહેરાત કરી હતી.
#WATCH Dealing with #COVID19 requires social distancing whereas battling the #AmphanCyclone requires people to move to safer areas. Despite these contradictions, West Bengal under leadership of Mamata ji is fighting well. We are with them in these adverse times: PM pic.twitter.com/pBxjWTlZTq
— ANI (@ANI) May 22, 2020
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંકટ વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત દિલ્હીની બહાર કોઇ મુલાકાતે પહોંચ્યા હતાં. દેશમાં કોરોના વાયરસને લઇને 25 માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
ઓરિસ્સાની પણ મુલાકાત લેશે પીએમ મોદી
અમ્ફાન વાવાઝોડાને લઇને ઓડિશામાં નુકસાન થયું છે. જો કે પશ્ચિમ બંગાળની સરખામણીએ અહીં ઓછુ નુકસાન જોવા મળી રહ્યું છે. જો કે પ્રધાનમંત્રી કાર્યાલયના ટવિટ અનુસાર પીએમ મોદી ઓડિશામાં થયેલા નુકસાનનું પણ હવાઇ નિરીક્ષણ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT