બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / મુંબઈ / covid third wave in india is likely to be more life threatening for children says experts
Dharmishtha
Last Updated: 09:07 AM, 6 May 2021
ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે
કોરોનાની પહેલી લહેરમાં વુદ્ધો જ્યારે બીજીમાં યુવાનો વધારે સંક્રમિત થયા. ત્યારે હવે વિશેષજ્ઞોએ આશંકા વ્યક્ત કરી છે કે જો ત્રીજી લહેર આવશે તો તે બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવું દુનિયાના બીજા દેશોમાં પણ થયું છે. ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ અને સંક્રમક રોગોના વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારે જલ્દીથી જલ્દી બાળકોના રસીકરણનો કાર્યક્રમ શરુ કરવો જોઈએ નહીં તો કોરોનાની ત્રીજી લહેરમાં 18થી ઓછી ઉંમરના લોકોને ખરાબ રીતે સંક્રમિત થશે.
બાળકોનું રસીકરણ બહું મહત્વપૂર્ણ
સંક્રમક રોગ વિશેષજ્ઞ ડો. નિતિન શિંદે કહે છે કે બાળકોનું રસીકરણ બહું મહત્વપૂર્ણ છે. નહીંતર કોરોનાની ત્રીજી લહેર રસી નહીં લગાવી શકનારા આ બાળકોને ઝપેટમાં લઈ શકે છે.
વિશેષજ્ઞોનું કહેવુ છે કે ભલે કોરોના હાલમાં બાળકોમાં ગંભીર અને જટિલતા નથી પૈદા કરી રહ્યો પરંતુ બીજી લહેરમાં સંક્રમિત બાળકોની સંખ્યામાં ઘણી તેજી આવી છે. પહેલી લહેરની અપેક્ષાએ બીજી લહેર મુંબઈ પૂણે જેવા શહેરમોમાં બાળકોને વધારે સંક્રમિત કર્યા છે. બાળકો ગંભીર સ્થિતિમાં નથી આવતા પણ સંક્રમણ ફેલાવે છે. બાળકોનું રસીકરણ જરુરી છે.
બીએમસી બનાવી રહી છે બાળકો માટે કોવિડ વોર્ડ
ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમણની શક્યતા જોતા બીએમસી અને મહારાષ્ટ્ર સરકારે મલીને બાળ ચિકિત્સા કોવિડ દેખરેખ વોર્ડ સ્થાપિત કરી રહી છે. આ આશંકાને પગલે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ગત અઠવાડિયે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને નગરપાલિકા આયુક્તોને કોવિડની ત્રીજી લહેરના હુમલા માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યા છે.
બીજી લહેરના 7 મે સુધી પીક પર આવવાનો અંદાજો
કોરોનાના મામલે મૈથમેટિક મોડલ એક્ટપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગર કહે છે કે કોરોનાની બીજી લહેર 7 મે સુધી પીક પર આવવાનો અંદાજો છે. આ બાદ તેમાં ઘટાડો થઈ શકે છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે પીક આવશે. નવા દૈનિક મામલામાં 1.2 લાખ થઈ જશે. તેમણે સ્પષ્ટ કહ્યુ કે મામલા શૂન્ય નહીં થાય પણ ઘટાડો આવશે.
કેનેડા આવું કરનારો પહેલો દેશ બન્યો છે
કેનેડાએ બુધવારે 12 વર્ષના બાળકોના રસીકરણ માટે ફાઈઝર- બાયોએન્ટેકની કોરોના રસીને મંજૂરી આપી દીધી છે. કેનેડા આવું કરનારો પહેલો દેશ બન્યો છે. મોટા ભાગના દેશોમાં વયસ્કોને કોરોનાની રસી લગાવવામાં આવી રહી છે તો કેટલાક દેશોમાં રસીકરણની સૌથી નાની ઉંમર 16 વર્ષ સુધીની છે. આનાથી નાની ઉંમરના બાળકોને કોરોનાની રસી નથી લગાવાઈ રહી. તેમજ અમેરિકા પણ હવે 12થી 15 વર્ષના બાળકોને રસી લગાવવાની તૈયારી કરી રહ્યુ છે. એમેરિકન એજન્સી ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ફાયઝર કંપનીની કોરોનાની રસીને આવનારા અઠવાડિયાથી 12 વર્ષથી વધારે ઉંમરના બાળકોને રસી આપવાની પરવાનહી આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT