દિલ્હી અને મુંબઈમાં હવે કોરોના સંક્રમણના મામલામાં ઘટાડો આવી રહ્યો છે. જો કે IIT મદ્રાસનો દાવો છે કે અહીં R વૈલ્યૂ ઘટી રહી છે.
દિલ્હી અને મુંબઈમાં હવે કોરોના સંક્રમણના મામલામાં ઘટાડો
IIT મદ્રાસનો દાવો, બન્ને શહેરમાં R વૈલ્યૂ ઘટી રહી છે
રવિવારે પોઝિટિવિટી રેટ 27.87 ટકા રહ્યો
દિલ્હી અને મુંબઈમાં હવે કોરોના સંક્રમણના મામલામાં ઘટાડો
જ્યાં દેશમાં કોરોનાના મામલા વધી રહ્યા છે ત્યારે દિલ્હી અને મુંબઈમાં હવે કોરોના સંક્રમણના મામલામાં ઘટાડો આવી રહ્યો છે. દિલ્હીમાં રવિવારે 18, 286 કોરોના મામલા નોંધવામાં આવ્યા છે. જ્યારે શનિવારે અહીં 20 હજાર 718 નવા મામલા સામે આવ્યા હતા. ત્યારે રવિવારે પોઝિટિવિટી રેટ 27.87 ટકા રહ્યો જ્યારે શનિવારે આ 30. 64 ટકા હતો.
મુંબઈમાં ગત દિન 7 હજાર 895 નવા મામલા સામે આવ્યા અને 11 દર્દીઓના મોત થયા
ત્યારે મુંબઈમાં રવિવારે કોરોનાના મામલામાં ઘટાડો નોંધાયો છે. આ ગત દિન 7 હજાર 895 નવા મામલા સામે આવ્યા અને 11 દર્દીઓના મોત થયા. જ્યારે શનિવારે અહીં 10 હજાર 661 નવા મામવા આવ્યા હતા. ત્યારે મુંબઈમાં 57, 534 ટેસ્ટની સાથે દૈનિક પોઝિટિવિટી દર ઘટીને 13 ટકા થઈ ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે શહેરમાં કોરોના પીક પર છે અને હવે મામલામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
IIT મદ્રાસનો દાવો, R વૈલ્યૂ ઘટી રહી છે
દિલ્હી મુંબઈમાં કોરોનાના મામલામાં ઘટાડાની સાથે આઈઆઈટી મદ્રાસે દાવો કર્યો છે કે R વેલ્યૂ પણ ઓછી થઈ રહી છે. આઈઆઈટી મદ્રાસના પ્રારંભિક વિશ્લેષણમાં આ વાત સામે આવી છે કે ભારતમાં R વેલ્યૂ 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરીના ગત 2.2 નોંધવામાં આવી જે ગત 2 અઠવાડિયાથી ઘણી ઓછી છે. ઉલ્લેખનીય છે કે R વેલ્યૂ આ ઈંગિત છે કે કોરોના કેટલો ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન દિલ્હીમાં R વેલ્યૂ 2.5 અને મુંબઈમાં R વેલ્યૂ 1.3 હતી. ઉલ્લેખનીય છે કે જો આર વેલ્યૂ એકથી નીચે જતી રહે છે તો મહામારી ખતમ માનવામાં આવે છે.
મહામારીની સ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો દાવો પણ રહ્યો છે કે હવે દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવિટી દર સ્થિર થઈ રહ્યો છે. ત્યારે મામલામાં ઘટાડાનું કારણ ઓછી સંખ્યામાં થઈ રહેલા ટેસ્ટ માનવામાં આવી રહ્યા છે અને વેલ્યૂના હિસાબથી કહેવામાં આવી શકે છે કે મહામારીની સ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે.
જેમાં કોઈ લક્ષણ વગરના દર્દીના ટેસ્ટ નથી કરવામાં આવી રહ્યા
દિલ્હી અને મુંબઈમાં ઓછા થઈ રહેલા મામલાને લઈને જ્યાં સરકારનો દાવો છે કે કડક પ્રતિબંધોના કારણે કેસમાં ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે જે તે મીડિયા રિપોર્ટનો દાવો છે કે આની પાછળનું કારણ ટેસ્ટોમાં ઘટાડો છે. પહેલાની જેમાં કોઈ લક્ષણ વગરના દર્દીના ટેસ્ટ નથી કરવામાં આવી રહ્યા. તેવામાં સરકારી આંકડા અને કોરોનાના વાસ્તવિક દર્દીની સંખ્યામાં મોટું અંતર આવી શકે છે.