બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / coronavirus in india after 81 days number of active corona patients crossed two lakh 230 doctors infected in maharashtra too

ચિંતાજનક / 81 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 2 લાખને પાર, આ રાજ્યમાં 230 ડોક્ટર કોરોનાગ્રસ્ત

Dharmishtha

Last Updated: 07:33 AM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓના આંકડા 81 દિવસ બાદ ફરી વધ્યા છે. જે હાલ 2, 14, 004 થઈ ગયા છે.

  •  81 દિવસ બાદ ફરીએક્ટિવ કેસ 2, 14, 004 થઈ ગયા 
  •  દૈનિક પોઝિટિવિટીનો દર વધીને 4.18 ટકા થઈ ગયો
  •  ગત 3 દિવસોમાં કુલ 230 રેસિડન્ટ ડોક્ટર કોરોના પોઝિટિવ થયા

 81 દિવસ બાદ ફરીએક્ટિવ કેસ 2, 14, 004 થઈ ગયા 

દેશમાં કોરોનાને કેર ફરી વધી રહ્યો છે. દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓના આંકડા 81 દિવસ બાદ ફરી 2, 14, 004 થઈ ગયા છે. મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં અત્યાર સુધી મળેલા કુલ મામલામાંથી ફક્ત 0.61 ટકા સક્રિય કેસ છે. ગત 24 કલાકમાં સક્રિય મામલામાં 42, 174 દર્દી વધ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર કોરોના વાયરસની સ્પીડના કારણે દૈનિક પોઝિટિવિટીનો દર વધીને 4.18 ટકા થઈ ગયો છે. ત્યારે અઠવાડિક સંક્રમણ દર 2.60 ટકા થઈ ગઈ છે.

 ગત 3 દિવસોમાં કુલ 230 રેસિડન્ટ ડોક્ટર કોરોના પોઝિટિવ થયા

મહારાષ્ટ્ર અસોસિએશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સના અધ્યક્ષ અને જજે હોસ્પિટલના ડો. ગણેશ સોલંકે જણાવ્યું કે મુંબઈના વિભિન્ન હોસ્પિટલોમાં ગત 3 દિવસોમાં કુલ 230 રેસિડન્ટ ડોક્ટર કોરોના પોઝિટિવ થયા છે. આ ઉપરાંત બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના વધુ 6  કર્મચારી કોરોના સંક્રમિત થયા છે.  આની પહેલા બેસ્ટના 60 કર્મચારીઓ કોરોના ગ્રસ્ત મળ્યા હતા.

IIT ગુવાહાટીમાં કુલ 50થી વધારે લોકો કોરોના સંક્રમિત

IIT ગુવાહાટીમાં કોરોનાએ દસ્તક આપી છે. IITમાં 6 દિવસમાં વિદ્યાર્થી, ફેકલ્ટીના સભ્યોની સાથે કુલ 50થી વધારે લોકો કોરોના સંક્રમિત થયા છે. સંક્રમિત મળતા પ્રતિબંધો લાગ્યા છે. ડીન પરમેશ્વર અય્યરના કહેવા મુજબ 90 ટકા મામલા તે લોકો સાથે જોડાયેલા છે જે રજા બાગ બહારથી આસામ પાછા ફર્યા હતા.

દેશમાં કોરોનાની અસરની વાત કરીએ તો...

  • કોરોનાના કુલ દર્દીની સંખ્યા વધીને 3,50,18,358 થઈ
  • સંક્રમણને હરાવીને સાજા થનારા દર્દીઓની સંખ્યા 4, 82, 551 થઈ ગઈ છે
  • સંક્રમણની અડફેટમાં આવી અત્યાર સુધી કુલ  4,82,551 લોકોના મોત થયા છે.
  • સ્વસ્થ્ય થનારા દર્દીઓનો દર 98.01 થઈ ગયો છે. મૃત્યુદર 1.38 ટકા છે.
  • 147.72 કરોડથી વધારે કોરોનાની રસીના ડોઝ અત્યાર સુધી દેશમાં લાગી ચૂક્યા છે.
  • 534 માં સૌથી વધારે 453 દર્દીના મોત કેરળ અને 20 મોત મહારાષ્ટ્રમાં થયા.
  • 13,88,647 સેમ્પલની તપાસ ગત 24 કલાકમાં થઈ, કુલ તપાસના આંકડા 68,38,17,242 છે
  • 15-18 વર્ષના 7.4 કરોડ રસી યોગ્ય કિશોરોમાંથી 1.26 કરોડ કિશોરોને રસીના ડોઝ અપાયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Vaccination omicron variant કેસ કોરોના વાયરસ રસી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ