બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat dycm nitin patel said delhi tablighi jamaat corona death
Gayatri
Last Updated: 06:01 PM, 31 March 2020
તબલીગી જમાતના કાર્યક્રમનું ગુજરાત કનેકશન પણ સામે આવ્યું હોવાનું નાયાબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ જેને પગલે ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગ અને પોલીસ તપાસ કરી રહી હોવાનો દાવો કર્યો હતો. અફરાતફરી ન ફેલાય તે માટે સરકાર સાવચેતી રાખી રહી છે. આરોગ્ય વિભાગને તપાસમાં ગુજરાતના નાગરિકો સહયોગ આપે તેવું પણ નાયાબ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ.
આ મામલે ગુજરાત પોલીસ વડાએ કરી પુષ્ટી
ગુજરાતના ડીજીપીએ પણ આ માલે ડેપ્કયુટી સીએમની પુષ્ટિ કરી છે. ડીજીપીએ કહ્યું ભાવનગરથી કેટલાક લોકો ગયા હોવાની બાતમી મળી હતી.
ભાવનગરમાં ગઈકાલે એકનું મોત અને 4 કેસ પોઝિટિવ
ભાવનગરમાં એકસાથે પાંચ કેસ પોઝિટિવ આવ્યા હતા જેને પગલે એવી શંકા સેવાઈ રહી છે કે, આ લોકોનું તબલીગી સમાજ સાથે કનેક્શન છે. જો આ વાત સાબિત થશે તો એક સાથે ઘણા લોકો કોરોના પોઝિટિવ આવી શકે છે.
શું છે તબલીગી જમાત?
તબલીગી જમાત ઇસ્લામિક મિશનરી આંદોલન છે. જેની સ્થાપના 1926માં કરાઇ હતી અને તેના દુનિયાભરમાં સભ્યો છે. આ કાર્યક્રમમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, નેપાળ, મ્યાનમાર, કિર્ગિસ્તાન અને સાઉદી અરબથી તબલીગી સભ્યો આવ્યા હતા. કાર્યક્રમમાં અફઘાનિસ્તાન, અલ્જીરિયા, જિબૂતી, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ફીજી, ફ્રાન્સ અને કુવૈતથી સદસ્યો આવ્યા હતા.
દિલ્હીમાં થયા છે 7 લોકોના મોત
કોરોના વાયરસની મહામારી વચ્ચે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં બનેલા મરકઝમાં થયેલા ધાર્મિક કાર્યક્રમથી સાત લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. જ્યારે 300થી વધારે લોકોનો કોરોના વાયરસના લક્ષણો બાદ ટેસ્ટ કરાઇ રહ્યો છે.
મંગળવારે સવારે તબલીગી જમાતના દિલ્હી મુખ્યાલય એટલે કે નિઝામુદ્દીનને સીલ કરી દેવામાં આવ્યું અને ત્યાં રહી રહેલા 800 લોકોને બસોમાં લઇ જઇને શહેરની અલગ-અલગ જગ્યાએ ક્વારન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું, અત્યાર સુધીમાં ત્યાં રોકાયેલા 24 લોકોના કોરોના વાયરસ પોઝિટિવ હોવાની પુષ્ટી થઇ ચૂકી છે. આ ગંભીર ગૂનો છે.
આરોગ્ય સર્વે મામલે પણ કર્યો ખુલાસો
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યના તમામ ઘરો સુધી સ્ક્રિનિંગ કરાયું, તાવ, શરદી, ખાંસીના લક્ષણો અંગે તપાસ કરવામાં આવી, આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું છે. પ્રાઈવેટ દવાખાના ખુલ્લા રાખી શકાય છે. કોઈ હોસ્પિટલાઈઝ હોય તો તેની સારવાર ચાલુ જ રહેશે. જીવનજરૂરિયાત વસ્તુઓ માટેની દુકાનો માટે ખાસ પાસ ઈશ્યુ કરાયા છે. દરરોજ ચર્ચા કરીને કોરના સામે લડવા માટે નવા નિર્ણયો લઈએ છીએ.
માન્યો આ લોકોનો આભાર
મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને આશા વર્કર બહેનો સતત કામ કરી રહ્યો છે. સફાઈ કામદારો સતત સ્વચ્છતા માટે કામ કરી રહ્યા છે જેમનો આભાર માનવો ઘટે. પોલીસ, પત્રકાર અને અન્ય સ્ટાફનો પણ આભાર માન્યો આવતીકાલથી સસ્તા અનાજની દુકાનથી રેશનીંગનો જથ્થો અપાશે, વિના મૂલ્યે રેશનીંગનો જથ્થો આપવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT