બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Dharmishtha
Last Updated: 02:34 PM, 23 April 2020
શું છે સરકારનો આદેશ
કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે મોંઘવારી ભથ્થુ વધારવા પર પ્રતિબંધ મુકી દીધો છે. 1 જાન્યુઆરી 2020થી 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી વધનારું મોંઘવારી ભથ્થું નહીં મળે. જે ડીએ રોકવામાં આવ્યું છે જેનું એરિયર નહીં મળે.
સરકારે કેમ લીધો આ નિર્ણય
એવુ મનાઈ રહ્યુ છે કે સરકારનો આ નિર્ણય કોરોના વાયરસને કારણે લેવામાં આવ્યો છે. જેનાથી અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો છે. સરકારનો આ નિર્ણય 54 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને અસર કરશે. ઉલ્લેખનીય છે કે ગત મહિને કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 4 ટકા વધારવાની જાહેરાત કરી હતી. ડીએને 17 ટકાથી વધારી 21 ટકા કરી દેવામાં આવ્યો હતો.
સરકારને થશે 14, 595 કરોડની બચત
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો રોકવાથી સરકારને દર મહિને 1 હજાર કરોડની બચત થશે. સરકારે મોંઘવારી ભથ્થા માટે 14595 રોકડનો ખર્ચ નક્કી હતો. કોરોનાને લીધે અર્થવ્યવસ્થાને ઘણુ નુકશાન થયું છે.
પ્રતિબંધ 2021 સુધી અમલમાં રહેશે
દેશમાં કોરોના સંકટને કારણે અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. આ દરમિયાન ગુરુવારે સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તથા પેન્શન ધારકોને ડીએ એટલે કે મોંઘવારી ભથ્થુ નહી મળી. આ પ્રતિબંધ 2021 સુધી અમલમાં રહેશે.
જે એડિશનલ ડીએ પણ નહીં આપવામાં આવે
નાણા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ કોરોના વાયરસના સંકટને કારણે 1 જાન્યુઆરી 2020 પછી કેન્દ્રીય કર્મચારીઓ અથવા પેન્શન લાભાર્થીઓને મળનારી ડીએની રકમ નહીં આપવામાં આવે. 1 જુલાઈ 2020થી જે એડિશનલ ડીએ મળી રહ્યો છે તેને પણ નહીં આપવામાં આવે.
આગળનું ડીએ ક્યારે આપવામાં આવશે?
આ ઉપરાંત આગળનું ડીએ ક્યારે આપવામાં આવશે. તે ચિત્ર પણ 1 જુલાઈ 2021ના રોજ સ્પષ્ટ થશે. આ આદેશ કેન્દ્રીય કર્મચારી અને કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન લાભાર્થી કર્મચારીઓને લાગુ પડશે.
મોંઘવારી ભથ્થાની શરુઆત ક્યારે અને કેવી રીતે થઈ હતી
ભારતમાં સૌથી પહેલા મુંબઈમાં કપડા ઉદ્યોગમાં 1972માં સૌથી પહેલા મોંઘવારી ભથ્થાની શરુઆત થઈ હતી. આ બાદ કેન્દ્ર સરકાર દ્વારા તમામ કર્મચારીઓને આ ભથ્થુ આપવા લાગી. જેથી મોંઘવારીની અસર કર્મચારીઓ પર ન પડે. 1972માં તેના માટે કાયદો બનાવવામાં આવ્યો હતો. જેને ઓલ ઈન્ડિયા સર્વિસ એક્સ 1951 હેઠળ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT