બ્રેકિંગ ન્યુઝ
કોરોના દર્દીઓની વધતી સંખ્યાને જોઇને વધારેમાં વધારે ક્વૉરન્ટીન બેડ બનાવવામાં આવી રહ્યા છે, આ માટે BMC એ મુંબઇ ક્રિકેટ એસોસિયેશનને પત્ર લખ્યો છે અને કહ્યુ કે, વાનખેડે સ્ટેડમિયમ સોંપવામાં આવશે જેથી ક્વૉરન્ટીનની સુવિધા બનાવી શકાય.
ADVERTISEMENT
BMC એ કહ્યુ કે, વાનખેડે સ્ટેડિયમનો ઉયપોગ ઇમરજન્સી સ્ટાફ અને COVID 19ના પોઝિટિવ પણ જેનામાં લક્ષણ જોવા મળ્યા ના હોય તેવા દર્દીને ક્વૉરન્ટીન કરવા માટે કરાશે. મુંબઇ ક્રિકેટ એસોસિએશને આ માટે આશ્વાસન આપ્યુ છે.
MCA એ લખેલા પત્રમાં MCGM ના સહાયક આયુક્તે કહ્યુ કે, જે રીતે હોટલ-લોજ, ક્લબ, કોલેજ, પ્રદર્શન કેન્દ્ર, મેરેજ હોલ, જિમખાના, બેન્કવેટ હોલ તત્કાલ પ્રભાવથી સોંપવામાં આવે છે. તેવી રીતે સ્ટેડિયમમાં ક્વૉરન્ટીન સેન્ટરમાં ફેરફાર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પત્રમાં લખવામાં આવ્યુ છે, યોગ્ય સમયે યોગ્ય કિંમતે તમારા પરિસરનો ઉપયોગ માટે રકમ અલગથી આપવામાં આવશે. જો સ્ટેડિયમનો ક્વૉરન્ટીન સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં માટે નહી આપવામાં આવે તો ભારતીય દંડ સહિતની કલમ 188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.
આ મુદ્દે BMC ના સચિવે કહ્યુ કે, અમને પત્ર મળી ગયો છે. અમે અધિકારીઓના નિર્દેશનના પાલનની રાહ જોઇ રહ્યા છે. અમે દરેક મદદ કરીશું. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 29100 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 6564 જેટલા લોકો કોરોનાની લડત જીતી ગયા છે તો 1068 લોકોના મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.