બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / corona attack in indian parliament
Pravin
Last Updated: 04:30 PM, 24 January 2022
સંસદમાં 875 કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. સંસદ સચિવાલયે જણાવ્યું છે કે, 31 જાન્યુઆરીથી શરૂ થનારા સંસદના બજેટ સત્ર અગાઉ રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂની સાથે સાથે સદનના 875 સ્ટાફ કોવિડ પોઝિટીવ આવ્યા છે. આ આંકડો મહામારીની ત્રીજી લહેરની શરૂઆત બાદ 20 જાન્યુઆરી સુધી કરવામાં આવેલા ટેસ્ટના છે. સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થનારૂ છે અને તેનો પ્રથમ ભાગનું સમાપન 11 ફેબ્રુઆરીએ થશે.
સંસદમાં ત્રીજી લહેર શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં 2847 ટેસ્ટ થઈ ચુક્યા છે અને તેમાંથી 875 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમણે કહ્યું છે કે, કુલ ટેસ્ટમાંથી 915 ટેસ્ટ રાજ્યસભા સચિવાલય દ્વારા આપવામાં આવેલા અને 271 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજ્યસભાના સભાપતિ પણ થયા બીજી વખત સંક્રમિત
સત્રનું આયોજન કોવિડ સંબંધિત પ્રોટોકોલનું પાલન સાથે કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોવિડના વધતાં કેસોને ધ્યાને રાખીને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એક સાથે ચાલશે અથવા અલગ અલગ પાળીમાં, તેના પર હજૂ નિર્ણય કરવામાં આવશે. રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂ પણ કોવિડ 19થી સંક્રમિત થયા છે. તેઓ બીજી વાર સંક્રમિત થયાં છે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ટ્વિટ કર્યું છે કે, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ આજે કોરોના પોઝિટિવ થયાની પુષ્ટિ થઈ છે. તેઓ હાલમાં હૈદરાબાદમાં છે. તેમણે એક અઠવાડીયા સુધી કોરન્ટાઈનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવાની અને કોરન્ટાઈન થવાની પણ સલાહ આપી છે, જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતાં. હાલમાં તો એવું નથી લાગતું કે, બુધવારના ગણતંત્ર દિવસ સમારંભમાં તેઓ ભાગ લઈ શકે.
8 એપ્રિલ સુધી ચાલશે આ સત્ર
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીએ શરૂ થશે, જ્યારે રાષ્ટ્રપતિ બંનેની સંયુક્ત બેઠકને સંબોધન કરશે અને તે 8 એપ્રિલે સમાપ્ત થશે. કેન્દ્રીય બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યાર બાદ એક મહિનાની રજા બાદ સત્રનો બીજો તબક્કો પણ 14 માર્ચના રોજ શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે.
વર્ષ 2020નું ચોમાસું સત્ર પહેલું એવું સત્ર હતું, જે કોવિડ પ્રોટોકોલ અંતર્ગત સંપૂર્ણ ચાલ્યું હતું. આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી દિવસના અડધા સમય અને લોકસભાની કાર્યવાહી ત્યાર બાદ ચાલી હતી. આવી રીતે પ્રોટોકોલનો 2021નું બજેટ સત્રનો પહેલા ભાગમાં પણ પાલન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે બંને બજેટ સત્રનો બીજો ભાગ, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર પહેલાની માફક આયોજિત થયું અને બંને સદનની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી પ્રારંભ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT