બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / રાજકોટ / Congress leader Mahesh Rajput statement regarding the accident near Sarveswar Chowk in Rajkot
Dinesh
Last Updated: 11:26 PM, 24 September 2023
રાજકોટમાં સર્વેશ્વર ચોક પાસે ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યાં હતા. જે દૂર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે તેમજ અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. જો કે, સમગ્ર ઘટનાને લઈ અત્યારે રાહત કામગીરી ચાલું છે. જે સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે.
રાજકોટ વોકળા દુર્ઘટના: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપ ડવ સાથે ટેલીફોનિક વાતચીત કરી ઘટના અંગે દિલસોજી વ્યક્ત કરી, આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો માધાપર ચોકડી બ્રિજ લોકાર્પણ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો, CM વર્ચ્યુઅલી જોડાશે#rajkot #rajkotnews #gujarat… pic.twitter.com/o5in5GANer
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 24, 2023
'બિલ્ડીંગો વોકળા પર બનાવવામાં આવી'
કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતએ જણાવ્યું કે, 35 વર્ષ જૂનું બાંધકામ અને રાજકોટમાં આ પ્રથમ RMC દ્વારા વોકળો વેચવામાં આવ્યો હતો. વધુમાં કહ્યું કે, જર્જરિત શિવમ કોમ્પલેક્ષ 1 અને 2માં ઘટી ઘટના ઘટી છે તે બન્ને બિલ્ડીંગો વોકળા પર બનાવવામાં આવી છે. જર્જરિત હોવા છતાં કોઈ નોટિસો ફટકારાઈ પણ ન હતી. કોંગ્રેસ નેતા ગોપાલ અનડકટએ જવાબદાર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.
હેમાંગ વસાવડાનું નિવેદન
સમગ્ર મામલે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ જણાવ્યું કે, વોકળાઓ વેચી દેવામાં આવ્યા છે. દુર્ઘટના ઘટી તે અંગે તાત્કાલિક તપાસની માંગ કરીએ છીએ.
રમેશ ટીલાળા શું કહ્યું ?
ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું કે, ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. તંત્ર અત્યારે ખડેપગે રહી કામગીરી કરી રહ્યું છે.
રાજકોટ સર્વેશ્વર ચોક દુર્ઘટના: વોકળાનો સ્લેબ ધરાશાયી થતાં, એક મહિલાનું મોત, 10 થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા #rajkotnews #rajkot #gujarat #gujaratinews #vtvgujarati pic.twitter.com/RQZuXmg67e
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 24, 2023
જયમીન ઠાકરનું નિવેદન
જયમીન ઠાકરએ જણાવ્યું કે, સાતથી આઠ લોકો ઈજાગ્રસ્ત છે એટલુ બધુ પણ કંઈ સિરિયસ નથી. તેમજ કોઈ મૃત્યુની માહિતી પણ નથી. પરિસ્થિતિ કાબૂમાં છે, જે ઘટનાને પગલે તપાસ કરવામાં આવશે
એક મહિલાનું મોત
સમગ્ર દૂર્ઘટનામાં એક મહિલાનુ મોત થયું હોવાની વિગતો છે. મૃતકનું નામ ભાવનાબેન ઠક્કર, ઉંમર 60 વર્ષ છે તેમજ અન્ય તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
સ્થાનિક નેતાઓ ઘટનાસ્થળે
ઘટનાને પગલે સ્થાનિક નેતાઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિના તાંગ મેળવ્યા હતા. સાસંદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય ઉદય કાનગડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ