બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / રાજકોટ / Congress leader Mahesh Rajput statement regarding the accident near Sarveswar Chowk in Rajkot

રાજકોટ / સર્વેશ્વર ચોક દુર્ઘટના: '35 વર્ષ જૂનું બાંધકામ, બન્ને બિલ્ડિંગ વોકળા પર બનાવી, જર્જરિત છતા કોઈ નોટિસ નહીં' કોંગ્રેસના ઘગઘગતા આરોપ

Dinesh

Last Updated: 11:26 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News : ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું કે, ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. તંત્ર અત્યારે ખડેપગે રહી કામગીરી કરી રહ્યું છે.

  • રાજકોટમાં સર્વેશ્વર ચોક પાસે દુર્ઘટના મામલો
  • કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનો નિવેદન
  • 'બન્ને બિલ્ડીંગો વોકળા પર બનાવવામાં આવી'

રાજકોટમાં સર્વેશ્વર ચોક પાસે ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યાં હતા. જે દૂર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે તેમજ અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. જો કે, સમગ્ર ઘટનાને લઈ અત્યારે રાહત કામગીરી ચાલું છે. જે સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે.

'બિલ્ડીંગો વોકળા પર બનાવવામાં આવી'
કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતએ જણાવ્યું કે, 35 વર્ષ જૂનું બાંધકામ અને રાજકોટમાં આ પ્રથમ RMC દ્વારા વોકળો વેચવામાં આવ્યો હતો. વધુમાં કહ્યું કે, જર્જરિત શિવમ કોમ્પલેક્ષ 1 અને 2માં ઘટી ઘટના ઘટી છે તે બન્ને બિલ્ડીંગો વોકળા પર બનાવવામાં આવી છે. જર્જરિત હોવા છતાં કોઈ નોટિસો ફટકારાઈ પણ ન હતી. કોંગ્રેસ નેતા ગોપાલ અનડકટએ જવાબદાર  સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

હેમાંગ વસાવડાનું નિવેદન
સમગ્ર મામલે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ જણાવ્યું કે, વોકળાઓ વેચી દેવામાં આવ્યા છે. દુર્ઘટના ઘટી તે અંગે તાત્કાલિક તપાસની માંગ કરીએ છીએ.

રમેશ ટીલાળા શું કહ્યું ?
ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું કે, ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. તંત્ર અત્યારે ખડેપગે રહી કામગીરી કરી રહ્યું છે.

જયમીન ઠાકરનું નિવેદન
જયમીન ઠાકરએ જણાવ્યું કે, સાતથી આઠ લોકો ઈજાગ્રસ્ત છે એટલુ બધુ પણ કંઈ સિરિયસ નથી. તેમજ કોઈ મૃત્યુની માહિતી પણ નથી. પરિસ્થિતિ કાબૂમાં છે,  જે ઘટનાને પગલે તપાસ કરવામાં આવશે

એક મહિલાનું મોત
સમગ્ર દૂર્ઘટનામાં એક મહિલાનુ મોત થયું હોવાની વિગતો છે. મૃતકનું નામ ભાવનાબેન ઠક્કર, ઉંમર 60 વર્ષ છે  તેમજ અન્ય તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 

સ્થાનિક નેતાઓ ઘટનાસ્થળે
ઘટનાને પગલે સ્થાનિક નેતાઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિના તાંગ મેળવ્યા હતા. સાસંદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય ઉદય કાનગડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ