બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદ / Congress has tried a new bet on this seat of Ahmedabad, which is the stronghold of BJP, by giving the ticket to this Patidar face
Priyakant
Last Updated: 04:32 PM, 14 November 2022
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ધડાધડ ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે હવે કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઈ અમદાવાદની વેજલપુર વિધાનસભામાં રણનીતિ બદલી હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ કોંગ્રેસે વેજલપુરમાં જૈનની જગ્યાએ પાટીદાર ચહેરાને ટિકિટ આપી છે.
અમદાવાદની વેજલપુર વિધાનસભામાં કોંગ્રેસે રણનીતિ બદલી છે. મહત્વનું છે કે, વેજલપુર બેઠકને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. જેને લઈ હવે કોંગ્રેસે જૈનની જગ્યાએ પાટીદાર આગેવાન રાજેન્દ્ર પટેલને ટિકિટ આપી છે. આ તરફ રાજેન્દ્ર પટેલે વેજલપુરમાં કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે. મહત્વનું છે કે, ભાજપ કે કોંગ્રેસ જેમ-જેમ નામો જાહેર કરે છે તેમ તેમ અનેક જગ્યાએથી નારાજગી પણ જોવા મળી રહી છે.
મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટીએ 166 ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ તરફ કોંગ્રેસે પણ અત્યાર સુધી 142 ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ પણ માટો ભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જોકે, હજુ પણ અમુક બેઠકો પર ભાજપ, આપ અને કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું છે. આ બધાની વચ્ચે જેમ જેમ ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યાં છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાતો જાય છે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ઉમેદવારોને લઈ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો