બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Parth
Last Updated: 05:10 PM, 8 June 2020
ખાસ વાત એ છે કે, કોરોનાને ફેલાતો રોકવા માટે અહીં ટોટલ લોકડાઉન લગાવાયું ન હતું. માત્ર સ્કૂલો-કોલેજો અને સાર્વજનિક કાર્યક્રમો પર જ પ્રતિબંધ લગાવાયો હતો. તે પણ ફક્ત થોડા સમય માટે. આ બધું કેવી રીતે થયું? તેનું મુખ્ય કારણ છે તાઇવાનનાં રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વેન. સાઇ તાઇવાનનાં પહેલાં મહિલા રાષ્ટ્રપતિ છે. સાઇ મે, ૨૦૧૬માં પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યાં અને જાન્યુઆરી, ૨૦૨૦માં બીજી વખત. સાઇએ તરત નિર્ણય લીધો અને કોરોના જેવી મહામારી સામે લડ્યા હતા.
ડબ્લ્યુએચઓના જણાવ્યા મુજબ, કોરોના વાઇરસનો પહેલો દર્દી ૮ ડિસેમ્બરે ચીનના વુહાન શહેરમાં મળી આવ્યો હતો. તે સમયે જાણ નહોતી કે આ કોરોના વાઇરસ છે. તેથી તે સમયે તેને ન્યુમોનિયાની જેમ જોવાયો હતો. ડિસેમ્બરના અંતમાં વુહાનની એક હોસ્પિટલમાં ડોક્ટર લી વેનલિયંગે સૌથી પહેલા કોરોના વાઇરસ અંગે જણાવ્યું હતું. ચીનની સરકારે તેને નજરઅંદાજ કર્યું અને બાદમાં લીનું મૃત્યુ કોરોનાથી થયું. તે સમયે લીની ચેટના સ્ક્રીનશોટ પણ વાઇરલ થયા હતા. જેમાં તેમણે ન્યુમોનિયાની જેમ એક નવી બિમારી અંગે સાવચેત કર્યા હતા. ચીનની સરકારે તેમની વાત ન માની અને તેમના પર અફવાઓ ફેલાવાનો પણ આક્ષેપ કર્યો. બાદમાં લીનું મૃત્યુ કોરોનાથી થઇ ગયું.
જ્યારે આખી દુનિયા ૩૧ ડિસેમ્બરની ઉજવણીની તૈયારી કરી રહી હતી ત્યારે તાઇવાન સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલે નવી બીમારીને લઇને એલર્ટ જારી કર્યું. તાઇવાને એડવાઇઝરી જારી કરીને વુહાનથી આવનારા દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ શરૂ કર્યું. આ સાથે જે લોકો છેલ્લા ૧૫ દિવસમાં વુહાનથી પાછા ફર્યા હતા તેમના પર નજર રાખી. તાઇવાનમાં ૨૧ જાન્યુઆરીએ કોરોનાનો પહેલો દર્દી મળ્યો હતો. ત્યારબાદ તાઇવાન સરકારે ચીનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી. ચીનમાંથી આવતી દરેક વ્યક્તિ માટે ક્વોરન્ટાઇન એડવાઇઝરી જારી કરી અને લોકોને બિનજરૂરી બહાર ન ફરવાની અપીલ કરી.
માસ્કની જરૂરિયાતને સમજતાં સરકારે ૨૪ જાન્યુઆરીએ જ માસ્કના એક્સપોર્ટ પર ટેમ્પરરી બેન લગાવી દીધો. માસ્કની એક્સપોર્ટ રોકાઇ અને કોરોનાના કેસ વધવાના કારણે લોકોમાં માસ્ક ખરીદવાની હોડ લાગી. સરકારે ઓડ ઇવન ફોર્મ્યુલા પણ જારી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT