બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / children are having rights to be loved says bombay highcourt in a verdi
Mayur
Last Updated: 12:08 PM, 16 April 2022
બોમ્બે હાઇકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે બાળકોને માતા-પિતા બંનેનો અને તેમના દાદા દાદીનો પ્રેમ પણ મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે. તેમણે કહ્યું હતું કે આ બાળકો માટે વ્યક્તિગત વિકાસ અને કલ્યાણ માટે જરૂરી એવી બાબત છે.
બાળકો સાથે સમય પસાર કરવાનો અને આનંદ કરવાનો અધિકાર
હાઇકોર્ટે પૂણેના એક વ્યક્તિ અને તેના માતા પિતાને પોતાના સંતાન સાથે મળવાની અનુમતી આપતા બુધવારે આ આદેશ આપ્યા હતા. જજ અનુજા પ્રભૂદેસાઈની સિંગલ જજ બેન્ચે બુધવારે આ આદેશ આપ્યો હતો. જેનો બુધવારે અમલ કરાયો હતો. ન્યાયાધીશે કહ્યું હતું કે જે માતા પિતાને બાળકોની સારસંભાળનો અધિકાર પ્રાપ્ત નથી તે પોતાના બાળકો સાથે કેટલોક મહત્વનો સમય વિતાવી અને સાથે આનંદ કરી શકે છે એના માટે કોઈને અટકાવી શકાય નહીં.
માતા પિતા બંનેનો પ્રેમ સંતાનો માટે જરૂરી
ન્યાયમૂર્તિ પ્રભુદેસાઇએ એમ પણ કહ્યું હતું કે, '' બાળકોને માતા અને પિતા એ બંનેનો અને દાદા દાદીનો પ્રેમ અને સ્નેહ મેળવવાનો અધિકાર છે. આ બાળકોના વ્યક્તિગત વિકાસ માટે અને સંપૂર્ણ કલ્યાણ માટે જરૂરી છે. કોર્ટે એક વ્યક્તિની અરજી પર સુનાવણી દરમિયાન આ મહત્વની વાત કરી હતી. યાચિકાકર્તાએ દાવો કર્યો હતો કે તેને જૂન 2020 થી પોતાનાં સંતાનોને મળવા દેવામાં નથી આવ્યો. યાચિકાકર્તાએ દાવો કર્યો હતો કે બાળકોના દાદા દાદી અસ્વસ્થ છે એટલા માટે પોતાના પૌત્રને મળવા ઈચ્છે છે.
જન્મદિવસે પણ મળવા ન દીધા
માતાએ માર્ચ 2022 ના કોર્ટના આદેશ છતાં બાળકોને તેમના જન્મ દિવસે પણ મળવા દીધા નહોતા. કોર્ટે આ વ્યક્તિને પોતાના બાળકોને મળવા માટે અને સાથે રહેવા માટે બે દિવસની પરમીશન આપી દીધી છે અને દંપતી વચ્ચે આ વિવાદને મધ્યસ્થી કરીને ઉકેલ લાવવા માટે મોકલ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT