બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Hiren
Last Updated: 02:39 PM, 14 October 2021
પેથાપુરમાં બાળકને ત્યજી દેવાનો મામલે અને મહેંદીની હત્યા મામલે આરોપી પિતા સચિન દિક્ષિતના રિમાન્ડ પૂર્ણ થયા છે. પોલીસે સચિન દિક્ષિતને કોર્ટમાં રજૂ કર્યો છે. ત્યારે હવે નવરાત્રીમાં અમદાવાદમાં સંબંધોને લાંછનરૂપ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં બાળકને તરછોડવા જેવો બીજો કિસ્સો બન્યો છે. જેમાં અમદાવાદના વેજલપુરમાં પ્રેમીથી થયેલા એક દિવસના બાળકને તરછોડી માતા ભાગી હતી. જોકે સ્થાનિક લોકોએ બાળકની માતાને ઝડપી લીધી હતી. ત્યારબાદ સ્થાનિકોએ મહિલાને પોલીસના હવાલે કરી.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર, સુનિલ નામના પ્રેમીથી આ મહિલાને બાળક થયું હતું. પાપ છૂપાવવા માટે બાળકને ત્યજવાનું નક્કી કર્યું હતું. સંબંધોની પાપલીલાના એક બાદ એક ગંભીર કેસ સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ગાંધીનગરમાં બાળક ત્યજ્યું હતું. પ્રેમિકાની હત્યા બાદ પિતા સચિને બાળકને ગૌશાળામાં ત્યજ્યું હતું. ત્યારે વધુ એક આડા સંબંધોનો કિસ્સો બન્યો છે. ત્યારે સવાલ થાય છે કે પ્રેમ પ્રકરણમાં માસૂમનો શું વાંક?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT