બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કપાટ ખુલવાથી રજિસ્ટ્રેશન પ્રોસેસ સુધી...! ચાર ધામ યાત્રાનો પ્લાનિંગ કરતા પહેલા જાણી લેજો
Last Updated: 12:21 PM, 10 February 2026
ચારધામ યાત્રા પર નીકળવું એ માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ એક એવો અનુભવ છે જે શ્રદ્ધા, અનુશાસન અને તૈયારીની કસોટી કરે છે. દર વર્ષે હજારો લોકો માહિતીના અભાવે મુશ્કેલીમાં ફસાઇ જાય છે. કેટલીક જગ્યાએ એન્ટ્રી રોકવામાં આવે છે, તો ક્યારેક કેટલીક જગ્યાએ રજીસ્ટ્રેશન અધૂરુ રહી જાય છે. જો તમે 2026 માં ચારધામ યાત્રાનું આયોજન કરી રહ્યા છો, તો કપાટ ખુલવાથી લઈને પ્રવેશ સુધીની આ સંપૂર્ણ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થશે.
ADVERTISEMENT
ચારધામ યાત્રા કેમ ખાસ?
ચારધામ યાત્રામાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે, તે હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક માનવામાં આવે છે. આ યાત્રા માત્ર આધ્યાત્મિક શાંતિ જ નહીં પરંતુ ધીરજ અને અનુશાસન પણ શીખવે છે. ઊંચા પર્વતો, બદલાતા હવામાન અને લાંબો માર્ગ આ યાત્રાને પડકારજનક બનાવે છે, તેથી યોગ્ય જાણકારી અને સમયસર તૈયારી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
ADVERTISEMENT
ક્યારે ખુલશે ચારધામના કપાટ?
દર વર્ષે અક્ષય તૃતીયાની આસપાસ ચાર ધામ મંદિરોના દરવાજા ખુલે છે. 2026માં અક્ષય તૃતીયા 19 એપ્રિલના રોજ આવે છે, અને આ દિવસે યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોના દરવાજા ભક્તો માટે ખોલવાનું આયોજન છે.બદ્રીનાથ મંદિરના દરવાજા 23 એપ્રિલ 2026 ના રોજ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. પરંપરાગત રીતે કેદારનાથ મંદિર ખોલવાની તારીખ મહાશિવરાત્રીના રોજ જાહેર કરવામાં આવે છે. યાત્રા શરૂ કરતા પહેલા આધિકારિક ઘોષણાની પુષ્ટિ કરવી જરૂરી માનવામાં આવે છે.
ADVERTISEMENT
ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કેમ જરુરી?
ઉત્તરાખંડ સરકારે યાત્રાળુઓની સુરક્ષા અને ભીડને નિયંત્રિત કરવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવી છે. નોંધણી વગર કોઈપણ મંદિરમાં પ્રવેશની મંજૂરી નથી. મુસાફરોની સંખ્યા, હવામાન પરિસ્થિતિઓ અને કટોકટી સેવાઓને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઓનલાઇન અને ઓફલાઇન રજીસ્ટ્રેશનની રીત
ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ઉત્તરાખંડ સરકારની આધિકારિક વેબસાઇટ
ADVERTISEMENT
registrationandtouristcare.uk.gov.in દ્વારા કરી શકાય છે. અહીં, મુસાફરોએ તેમની મુસાફરીની તારીખો, વ્યક્તિગત માહિતી અને ઓળખ વિગતો ભરવાની રહેશે. જે લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી, તેમના માટે ઋષિકેશ, હરિદ્વાર, સોનપ્રયાગ અને બરકોટ જેવા સ્થળોએ ઓફલાઈન રજિસ્ટ્રેશન કાઉન્ટર પણ ઉપલબ્ધ છે.
રજિસ્ટ્રેશન માટે સમય કઇ વાતોની જરુર પડે છે?
ADVERTISEMENT
રજિસ્ટ્રેશન દરમિયાન તમારું નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઓળખ કાર્ડ, મુસાફરીની તારીખ અને આરોગ્ય માહિતી આપવી જરુરી છે. જો પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હોય, તો તમારે બધા સભ્યોની વિગતો પણ દાખલ કરવી જરુરી હોય છે. આ માહિતી કટોકટીની પરિસ્થિતિમાં પ્રશાસન માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે.
હેલીકોપ્ટર સેવા લેનારા માટે જરુરી જાણકારી
કેદારનાથ અને બદ્રીનાથ માટે હેલિકોપ્ટર સેવાઓ ઉપલબ્ધ છે, પરંતુ એડવાન્સ બુકિંગ જરૂરી છે. આ સુવિધા વૃદ્ધો અને શારીરિક રીતે તકલીફવાળા મુસાફરોને રાહત પૂરી પાડે છે. સીમિત બેઠકોને કારણે છેલ્લી ઘડીનું બુકિંગ મુશ્કેલ બની શકે છે.
યાત્રા પર નિકળતા સમયે કઇ વાતોનું ધ્યાન રાખવું?
ચારધામ યાત્રા દરમિયાન વાતાવરણ ઝડપથી બદલાય છે, તેથી ગરમ કપડાં, રેઈનકોટ, આરામદાયક બૂટ-ચપ્પલ, જરુરી દવાઓ અને ઓળખ પત્ર સાથે રાખવું જરુરી છે. મોબાઇલ નેટવર્ક દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી, તેથી પાવર બેંક અને ફ્લેશલાઇટ પણ સાથે રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.